બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:34 PM, 18 August 2023
ADVERTISEMENT
jasprit bumrah: જસપ્રીત બુમરાહ 11 મહિના પછી શુક્રવારે આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આયર્લેન્ડ પ્રવાસ પર ટીમની કેપ્ટનશીપ કરી રહેલો બુમરાહ પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી ટીમની બહાર ચાલી રહ્યો હતો.
આયર્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચ પહેલા બુમરાહે કહ્યું, 'રિહેબિલિટેશન દરમિયાન પણ હું ટી-20 મેચની તૈયારી કરી રહ્યો ન હતો. હું હંમેશા વર્લ્ડ કંપની તૈયારી કરતો હતો. મેં આ સમયને ક્યારેય ખરાબ તબક્કો ગણ્યો નથી.
ADVERTISEMENT
બુમરાહે કહ્યું, 'પાછા આવીને ખૂબ સારું લાગે છે. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સખત મહેનત કરી રહ્યો હતો. તે ઘણો લાંબો રસ્તો હતો, હવે તે સારું લાગે છે.
બુમરાહે સપ્ટેમ્બર 2022માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી, ત્યાર બાદ તેણે કમરના સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે તેની ક્રિકેટ કારકિર્દીનો સૌથી મોટો બ્રેક લેવો પડ્યો હતો.
ADVERTISEMENT
💬 💬 "Very happy to be back."
— BCCI (@BCCI) August 17, 2023
Captain Jasprit Bumrah - making a comeback - takes us through his emotions ahead of the #IREvIND T20I series. #TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/IR9Rtp26gi
ADVERTISEMENT
ભારત માટે બુમરાહનો સ્કોર
1. ટેસ્ટ
128 વિકેટ
30 મેચ| 9\86 બેસ્ટ 5+ વિકેટ 8
2. વનડે
121 વિકેટ
72 મેચ| 6\19 બેસ્ટ ઇકોનોમી વિકેટ 4.63
ADVERTISEMENT
3. T20I
60 મેચ| 3\11 બેસ્ટ ઇકોનોમી વિકેટ 6.62
આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 સિરીઝ
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડમાં આયર્લેન્ડ સામે T20 સિરીઝ રમશે. આ સિરીઝ 18 ઓગસ્ટથી શરૂ થશે. ત્રણેય T20 મેચ માલાહાઇડમાં રમાશે.
ADVERTISEMENT
The moment we have all been waiting for. @Jaspritbumrah93 like we have always known him. 🔥🔥 #TeamIndia pic.twitter.com/uyIzm2lcI9
— BCCI (@BCCI) August 16, 2023
ભારતનું આયરલેન્ડ ટૂરના શેડ્યૂલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.