બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Jain saint Namramuni Maharaj admitted to hospital in Rajkot due to ill health

સ્વાસ્થય / જૈન સંત નમ્રમુનિ મહારાજની તબિયત લથડતા રાજકોટની હોસ્પિટલમાં દાખલ , પ્રવચન દરમિયાન થયો હતો છાતીમાં દુખાવો

Vishnu

Last Updated: 07:46 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૈન સમાજના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા

  • જૈન સંત નમ્રમુનિ મહારાજની તબિયત લથડી
  • રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ
  • પ્રવચન દરમિયાન થયો હતો છાતીમાં દુખાવો

જૈન સમાજના સંત નમ્રમુનિ મહારાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રવચન દરમિયાન છાતીમાં દુખાવો થતાં તેઓને રાજકોટની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પ્રવચન સમયે છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા
આપને જણાવી દઈયે કે, અગાઉ પણ તેઓને હ્રદયમાં તકલીફ થતાં રાજકોટની સિનર્જી હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હાલ જૈન સમાજમાં આયંબિલ ઓળી પર્વ ચાલી રહ્યું છે. સંત નમ્રમુનિ મહારાજ સવારે શ્રાવકોને આરાધનમાં પ્રવચન આપી રહ્યા હતા તે સમયે છાતીમાં ઝીણા દુખાવાની તકલીફ પડતાં તેમણે હાજર આગેવાનોને જાણ કરી હતી. જે બાદ તેમણે પ્રાથમિક સારવાર માટે ગોંડલ ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

સંત નમ્રમુનિ મહારાજની તબિયત હાલ સ્થિર
ઇમરજન્સીમાં સંત નમ્રમુનિ મહારાજને એડમિટ કરી હોસ્પિટલમાં ચેકઅપ કરી સધન સારવાર ચાલુ કરી છે. ડોકટરોનું કહેવું છે કે હાલ  મહારાજની તબિયત એકદમ સ્થિર છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે. વ્રતને કારણે શરીરમાં નબળાઈ આવતા આ બની શકે છે. 

હાલ ગુજરાતમાં જોર શોરની ગરમી પડી રહી છે એમાંય આયંબિલ આરાધના વ્રતને લગતા દિવસભરના કાર્યક્રમો અને સાથે કઠિન તપ સાધનાને કારણે તેઓની તબિયત બગડી હતી. રાષ્ટ્રસંત સંત નમ્રમુનિ મહારાજની તબિયત લથડતા જૈન સમાજમાં ચિંતાનું મોજુ છવાઈ ગયું છે. તેમના સ્વાસ્થ્યને લઈ શ્રાવકો પણ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તેઓના સ્વાસ્થ્યની તકલીફની  જાણ થતાં  તબિયતના ખબર અંતર પૂછતા ફોન અને સંદેશાઓ ચાલુ થઈ ગયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ