બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Hiralal
Last Updated: 08:11 PM, 2 October 2023
ADVERTISEMENT
દિલ્હીમાં ISISના આતંકી શાહનવાઝની ધરપકડ બાદ હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. શાહનવાઝના લગ્ન ગુજરાતની રહેવાસી વસંતી પટેલ નામની મહિલા સાથે થયા હતા. લગ્ન બાદ તેણે વસંતીનું ધર્મ પરિવર્તન કર્યું હતું અને મરિયમ નામ રાખ્યું હતું. વસંતી પટેલ અમદાવાદની રહેવાશી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, થોડા સમય પહેલા વસંતી પટેલ અને આતંકી શાહનવાઝ પ્રેમમાં પડ્યાં હતા અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. શાહનવાઝની સંદિગ્ધ ગતિવિધિઓની પણ વસંતીને જાણ હોવાનું જણાવાઈ રહ્યું છે. વસંતી પટેલ અમદાવાદના નિકોલની આજુબાજુની હોવાનું પણ જણાવાય છે.
કોણ છે શાહનવાઝ
ADVERTISEMENT
શાહનવાઝ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે. વિશેષ પોલીસ કમિશનર એચ.જી.એસ.ધાલીવાલે જણાવ્યું હતું કે, "સ્પેશિયલ સેલ લાંબા સમયથી ઇન્ડિયન મુજાહિદ્દીન અને આઇએસઆઇએસના કિંગપિન પર નજર રાખી રહ્યું છે. આવા અનેક મોડ્યુલોનો પર્દાફાશ થયો છે. શાહનવાઝના બે સહયોગીઓમાંથી એક છે મોહમ્મદ રિઝવાન અશરફ અને બીજો મોહમ્મદ અરશદ વારસી. મોહમ્મદ રિઝવાન અશરફ પણ મૌલાના છે. તેમનો એક સાથી મોહમ્મદ રિઝવાન હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. મોહમ્મદ રિઝવાન અશરફની લખનઉથી અને મોહમ્મદ અરશદ વારસીની મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આતંકીઓ પાસેથી ઝડપાયો વિસ્ફોટક સામાન
પોલીસે જ્યારે તેના ઠેકાણાઓ પર દરોડા પાડ્યાં ત્યારે વિસ્ફોટક બનાવવાની જુદી જુદી સામગ્રી મળી આવી હતી. જેમાં લોખંડની પાઇપ, પ્લાસ્ટિક, કેમિકલ વગેરેનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટક સામગ્રી મોહમ્મદ શાહનવાઝના ઠેકાણા પરથી મળી આવી છે. આ ઉપરાંત બોમ્બ બનાવવાની પદ્ધતિ સાથે જોડાયેલું સાહિત્ય પણ મળી આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સાહિત્ય તેમને તેમના પાકિસ્તાની હેન્ડલર્સે મોકલ્યું છે. તેમને તમામ પ્રકારના રસાયણોના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. રસાયણોનો ઉપયોગ કેવી રીતે કરવો અને વધારેમાં વધારે નુકશાન કેવી રીતે કરવું તેની પણ તાલીમ અપાઈ હતી.
અમદાવાદના ઘણા વિસ્તારોમાં રેકી કરી
શંકાસ્પદ આતંકવાદીઓએ પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારત તથા ગુજરાતના અમદાવાદના ઘણા વિસ્તારોમાં રેકી કરી હતી. આ તમામને દરેક તબક્કે તેમના પાકિસ્તાની હેન્ડલર્સ પાસેથી જરૂરી સૂચનાઓ મળી રહી હતી. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ એન્જિનિયર છે.
એન્જિનિયર આતંકીની ધરપકડ
દિલ્હી પોલીસે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંના એક શાહનવાઝની ધરપકડ કરી હતી. શાહનવાઝ પુણે પોલીસની કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો અને દિલ્હીમાં રહેતો હતો. તેના માથા પર 3 લાખનું ઈનામ હતું. વ્યવસાયે એન્જિનિયર એવા શાહનવાઝને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પકડી પાડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT