બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Is homosexuality an illness? Shocking claim of doctors in RSS survey
Priyakant
Last Updated: 11:18 AM, 6 May 2023
સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે હાલમાં દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે દરેકનો અલગ-અલગ અભિપ્રાય છે. આ દરમિયાન હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા આ અંગે એક સર્વે સામે આવ્યો છે. RSSના સર્વેમાં સમલૈંગિકતાને એક પ્રકારની વિકૃતિ તરીકે વર્ણવવામાં આવી છે. RSSની મહિલા પાંખ સાથે સંકળાયેલા એક સમુદાય ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર ઘણા ડૉક્ટરો અને સંબંધિત તબીબી વ્યાવસાયિકો માને છે કે, સમલૈંગિકતા એક રોગ (વિકાર) છે અને જો સમલૈંગિક લગ્નને કાયદેસર કરવામાં આવશે તો સમાજમાં તે વધશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સમાંતર મહિલા સંસ્થા, રાષ્ટ્ર સેવિકા સમિતિના વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, સર્વેક્ષણના તારણો દેશભરમાંથી એકત્ર કરાયેલા 318 પ્રતિભાવો પર આધારિત છે. જેમાં આધુનિક વિજ્ઞાનની સારવારની આઠ અલગ-અલગ પદ્ધતિઓના પ્રેક્ટિશનરો પાસેથી લેવામાં આવ્યા છે.
70 ટકા ડોક્ટરોએ સમલૈંગિકતાને ગણાવ્યો રોગ
કોમ્યુનિટી ટ્રસ્ટ અનુસાર લગભગ 70 ટકા ડોકટરો અને સંલગ્ન તબીબી વ્યાવસાયિકોએ કહ્યું કે, સમલૈંગિકતા એક વિકાર છે, જ્યારે 83 ટકાએ સમલૈંગિક સંબંધોમાં જાતીય સંક્રમિત રોગોના પ્રસારણની પુષ્ટિ કરી છે. RSS સંસ્થાએ જણાવ્યું હતું કે, સર્વેક્ષણમાં એવું જોવામાં આવ્યું છે કે, આવા લગ્નોને કાયદેસર બનાવવાનો નિર્ણય દર્દીઓને સાજા કરવા અને તેમને સામાન્ય સ્થિતિમાં લાવવાને બદલે સમાજમાં વધુ અવ્યવસ્થાને પ્રોત્સાહન આપી શકે છે.
દર્દીઓને સાજા કરવા માટે આ સૌથી સારો વિકલ્પ
આવા મનોવૈજ્ઞાનિક વિકારોના દર્દીઓને ઇલાજ કરવા માટે કાઉન્સેલિંગ એ વધુ સારો વિકલ્પ છે. સામુદાયિક ટ્રસ્ટના સર્વેક્ષણમાં ભલામણ કરવામાં આવી છે કે, સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની માંગ પર કોઈ નિર્ણય લેવામાં આવે તે પહેલાં જાહેર અભિપ્રાય માંગવામાં આવે. રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે, સર્વેક્ષણના પ્રશ્નાવલિના જવાબમાં 67 ટકાથી વધુ ડોકટરોને લાગ્યું કે ગે પેરેન્ટ્સ તેમના બાળકોને યોગ્ય રીતે ઉછેરી શકતા નથી.
57 ટકાથી વધુ ડોકટરોએ કર્યો છે વિરોધ
નોંધનીય છે કે, CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર સુનાવણી કરી રહી છે. જેના આધારે સમુદાય ટ્રસ્ટે આ સર્વે કર્યો છે. કોમ્યુનિટી ટ્રસ્ટના એક વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે,સર્વેમાં પ્રતિભાવ આપનારા 57 ટકાથી વધુ ડોકટરોએ આ મામલે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપનો વિરોધ કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime