બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:39 PM, 1 April 2026
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર મોટો દંડ ફટકાર્યો છે. મંગળવારે ન્યુ ચંદીગઢમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમાયેલી IPL મેચ દરમિયાન શ્રેયસ ઐયરે મોટી ભૂલ કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શ્રેયસ ઐયરને 12 લાખનો દંડ ફટકાર્યો છે.
ADVERTISEMENT
BCCI એ શ્રેયસ અય્યર પર લગાવ્યો દંડ
હકીકતમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન ધીમા ઓવર-રેટ બદલ શ્રેયસ ઐયરને 12 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. બુધવારે જારી કરાયેલા એક મીડિયા રિલીઝમાં IPLએ જણાવ્યું હતું કે પંજાબ કિંગ્સ લીગની આચારસંહિતાના કલમ 2.22નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. કારણ કે આ સિઝનમાં ટીમનો આ પહેલો ગુનો હતો, તેથી કેપ્ટન શ્રેયસ ઐયરને 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

BCCI નું મોટુ એક્શન
ADVERTISEMENT
IPL મીડિયા એડવાઈઝરીમાં જણાવાયું છે કે: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેની ટીમે ધીમો ઓવર-રેટ જાળવી રાખ્યો હતો. IPL આચારસંહિતાના કલમ 2.22 હેઠળ - જે ધીમા ઓવર-રેટ સંબંધિત ગુનાઓ સાથે સંબંધિત છે - આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હોવાથી શ્રેયસ ઐયરને 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ પંજાબ કિંગ્સની ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક જીત, કૂપર કોનોલીની ફાઈટર ઇનિંગ
ADVERTISEMENT
પંજાબ કિંગ્સએ જીતી મેચ
પંજાબ કિંગ્સે IPL 2026 ના પોતાના અભિયાનનો વિજય સાથે પ્રારંભ કર્યો છે. મંગળવારે, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમે ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટથી વિજય મેળવ્યો. ટોસ હારીને બેટિંગમાં આવ્યા બાદ, ગુજરાત ટાઇટન્સે 6 વિકેટ ગુમાવીને કુલ 162 રન બનાવ્યા. તેના જવાબમાં પંજાબ કિંગ્સે 19.1 ઓવરમાં જીત મેળવી. પંજાબ કિંગ્સ માટે કૂપર કોનોલીએ 44 બોલમાં 72 રનની ધમાકેદાર તોફાની ઇનિંગ્સ રમી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.