બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Michael Vaughan prediction Rohit Sharma will join csk next year

સ્પોર્ટ્સ / 'આવતા વર્ષે રોહિત શર્મા કરશે આ ટીમની કેપ્ટનશીપ', માઇકલ વૉનની મોટી ભવિષ્યવાણી

Megha

Last Updated: 11:26 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માને MIના કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય લીધો ત્યારથી ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને દાવો કર્યો કે રોહિત આગામી સિઝનમાં CSKમાં જશે.

રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. આ દાવો ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે કર્યો છે. એમનું માનવું છે કે રોહિત શર્મા IPL 2025માં CSKનો ખેલાડી હશે. જ્યારે રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ માત્ર એક સિઝન માટે હતી. જો કે આ નિવેદન આઈપીએલના ચાહકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.  

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન એમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે અને આ વખતે તેણે મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વિશે કંઈક આવું જ કહ્યું છે. વોને કહ્યું કે તેને લાગે છે કે રોહિત શર્મા આવતા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનશે અને ઋતુરાજ ગાયકવાડ માત્ર આ વર્ષ માટે કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. રોહિત શર્મા ધોની માટે આદર્શ રિપ્લેસમેન્ટ હશે જેને સુપર કિંગ્સ શોધી રહ્યા છે. દરેકની નજર આગામી વર્ષે યોજાનારી મેગા ઓક્શન પર છે, જેમાં મોટી સંખ્યામાં ટીમોના નામોમાં ફેરફાર થશે. 

વોનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ધોનીના વર્ષો ચાલુ એડિશનથી પૂરા થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ધોનીએ આ વર્ષે સંકેત આપ્યો હતો કે આ તેનું છેલ્લું વર્ષ હોઈ શકે છે. સિઝનની શરૂઆત પહેલા જ ધોનીએ યુવા ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી દીધી હતી. પૂર્વ કેપ્ટને કહ્યું કે મને લાગે છે કે ધોનીની જગ્યાએ રોહિત આવતા વર્ષે ચેન્નાઈનો કેપ્ટન બનશે. આ વર્ષે ગાયકવાડ કેપ્ટનશીપ કરી રહ્યો છે, પરંતુ મને લાગે છે કે આવતા વર્ષે રોહિત આ જવાબદારી સંભાળશે. 

આગળ એમને કહ્યું કે, 'હું તેને ચેન્નાઈમાં જોઉં છું. હવે પ્રશ્ન એ છે કે જો તે ચેન્નાઈની કેપ્ટનશીપ કરશે અને મુંબઇમાં મેચ રમવા આવશે તો શું ફેન્સ તેની ટીકા કરશે? આ પ્રશ્ન વોનને હાર્દિક પંડ્યાની પરિસ્થતિ જોઈને આવ્યો હતો. તેનું એમ પણ કહેવું છે કે ચાહકો દ્વારા હાર્દિક સાથે આવું વર્તન કરવું સારું નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ