બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Megha
Last Updated: 11:26 AM, 15 April 2024
રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. આ દાવો ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે કર્યો છે. એમનું માનવું છે કે રોહિત શર્મા IPL 2025માં CSKનો ખેલાડી હશે. જ્યારે રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ માત્ર એક સિઝન માટે હતી. જો કે આ નિવેદન આઈપીએલના ચાહકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
What are your thoughts on Michael Vaughan? 👀#RohitSharma #IPL2025 #CSK #Sportskeeda pic.twitter.com/5vFoCeqLXU
— Sportskeeda (@Sportskeeda) April 13, 2024
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન એમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે અને આ વખતે તેણે મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વિશે કંઈક આવું જ કહ્યું છે. વોને કહ્યું કે તેને લાગે છે કે રોહિત શર્મા આવતા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનશે અને ઋતુરાજ ગાયકવાડ માત્ર આ વર્ષ માટે કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. રોહિત શર્મા ધોની માટે આદર્શ રિપ્લેસમેન્ટ હશે જેને સુપર કિંગ્સ શોધી રહ્યા છે. દરેકની નજર આગામી વર્ષે યોજાનારી મેગા ઓક્શન પર છે, જેમાં મોટી સંખ્યામાં ટીમોના નામોમાં ફેરફાર થશે.
🗣️ Michael Vaughan - "Rohit Sharma will be in CSK next year." (BeerBiceps podcast) pic.twitter.com/dnHMmyL0RZ
— CricketGully (@thecricketgully) April 13, 2024
વોનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ધોનીના વર્ષો ચાલુ એડિશનથી પૂરા થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ધોનીએ આ વર્ષે સંકેત આપ્યો હતો કે આ તેનું છેલ્લું વર્ષ હોઈ શકે છે. સિઝનની શરૂઆત પહેલા જ ધોનીએ યુવા ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી દીધી હતી. પૂર્વ કેપ્ટને કહ્યું કે મને લાગે છે કે ધોનીની જગ્યાએ રોહિત આવતા વર્ષે ચેન્નાઈનો કેપ્ટન બનશે. આ વર્ષે ગાયકવાડ કેપ્ટનશીપ કરી રહ્યો છે, પરંતુ મને લાગે છે કે આવતા વર્ષે રોહિત આ જવાબદારી સંભાળશે.
આગળ એમને કહ્યું કે, 'હું તેને ચેન્નાઈમાં જોઉં છું. હવે પ્રશ્ન એ છે કે જો તે ચેન્નાઈની કેપ્ટનશીપ કરશે અને મુંબઇમાં મેચ રમવા આવશે તો શું ફેન્સ તેની ટીકા કરશે? આ પ્રશ્ન વોનને હાર્દિક પંડ્યાની પરિસ્થતિ જોઈને આવ્યો હતો. તેનું એમ પણ કહેવું છે કે ચાહકો દ્વારા હાર્દિક સાથે આવું વર્તન કરવું સારું નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime