IPL 2021ને એક મહિનાનો સમય બાકી છે ત્યારે બીસીસીઆઈએ કેટલાક ખાસ નિર્ણયો લીધા છે જેનાથી સ્ટેડિયમમાં મેચ જોનારા દર્શકોને લાભ થશે.
BCCIએ લીધો મોટો નિર્ણય
IPL 2021ની મેચ જોનારા સ્ટેડિયમના દર્શકોને થશે લાભ
જાણો શું રહેશે મેચ દરમિયાનના નિયમો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021નો બીજો તબક્કો 1 મહિના બાદ યૂએઈમાં શરૂ થવાનો છે. ટૂર્નામેન્ટના 14મા સીઝનની મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે. આ સમયે બીસીસીઆઈ તૈયારી શરૂ કરી ચૂકી છે. કોરોના વાયરસના કારણે ભારતમાં આ વર્ષે ટૂર્નામેન્ટને કેન્સલ કરવામાં વી છે. આ સાથે 46 પાનાની હેલ્થ એડવાઈઝરી જાહેર કરાઈ છે.
શું છે હેલ્થ એડવાઈઝરીના ખાસ નિયમો
એક નિયમ અનુસાર દર્શકોની વચ્ચે બોલ જશે તો તેને ફરીથી યૂઝ કરી શકાશે નહીં. મળતી માહિતી અનુસાર દર્શકોને સ્ટેન્ડમાં પરમિશન આપવાની તૈયારીઓ કરી દેવાઈ છે. એટલે કે બોલ સ્ટેન્ડમાં જશે કો શક્ય છે કે દર્શકો તેને અડશે અને જે કોઈ પણ બોલ પરત આપશે તો બોલ તેને ટચ થશે.
કોઈ ખતરો લેવાના મૂડમાં નથી બીસીસીઆઈ
હાલમાં કોરોના વાયરસને લઈને કોઈ ચાન્સ બીસીસીઆઈ લેશે નહીં. નિર્ણય કરાયો છે કે બોલ સ્ટેન્ડમાં જશે તો તેને બદલી દેવામાં આવશે. પણ આ નિર્ણય ખેલાડી અને અમ્પાયરના સમયની બર્બાદી હશે. સ્ટેડિયમમાં મેચ જોનારા ફેન્સને તેનાથી ફાયદો થશે કેમકે બોલ ઘરે લઈ જવાનો અવસર મળશે. આ પહેલા જ્યારે આઈપીએલ 2020નો બોલ સ્ટેડિયમની બહાર જકો ત્યારે કે સ્ટેન્ડમાં ઉતરતો ત્યારે અમ્પાયર તેને સાફ કરતા અને તેનાથી રમવાનું ચાલુ રખાતું હતું.
આવા છે સુરક્ષાના પ્રોટોકોલ્સ
ફેન્ચાઈઝીના સભ્ય અને તેના પરિવાર પર જૈવિક રીતે સુરક્ષિત માહોલના કોઈ પણ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા માટે કાર્યવાહી કરાશે. આઈપીએલમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લેશે જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દ. આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ સામેલ છે. પ્રોટોકોલ અનુસાર દરેક ફ્રેન્ચાઈઝી ટીમના સભ્યોએ કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે તેમની ફ્લાઈટના 72 કલાક પહેલાનો હોવો જોઈશે. દરેકે કોરેન્ટાઈનમાં રહેવાનું રહેશે અને અન્યના સંપર્કમાં પણ રહેવાનું ટાળવું પડશે.