બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડ બ્રિજમાં તપાસનો ધમધમાટ શરૂ, ફટકારાઇ નોટિસ, માંગ્યો ખુલાસો
વલસાડ જિલ્લાના કૈલાશ રોડ પર ઔરંગા નદી પર નવો નિર્માણાધીન પુલનો એક ગર્ડર અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 5 શ્રમિકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગર્ડર ક્યાં કારણોસર પડ્યું, તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે છે. જ્યારે દુર્ઘટનાના કારણ અંગે તપાસ કરાશે, તેમ તંત્ર તરફથી કહેવાયું છે.

ADVERTISEMENT
તંત્રએ કોન્ટ્રાક્ટર સામે કરી લાલ આંખ
આ મામલે હવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. અને આ ક્યાં કારણોસર બન્યુ તે અંગે કારણ આપવા પણ કહેવામં આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સાયન્સ સિટી વિસ્તારના પરિશ્રમ કોમ્પલેક્ષમાં આગ લાગતા 9 લોકો ફસાયા, ફાયર ટીમમાં દોડધામ
તંત્ર દ્વારા સહાય આપવામાં આવી
ADVERTISEMENT
બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને વળતર આપવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગંભીર ઈજાગ્રસ્તને 2 લાખ જ્યારે સામાન્ય ઈજાગ્રસ્ત થયું હોય તેને 1 લાખના વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ બનાવમાં 5 શ્રમિક થયા હતા ઈજાગ્રસ્ત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.