બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાયન્સ સિટી વિસ્તારના પરિશ્રમ કોમ્પલેક્ષમાં આગ લાગતા 9 લોકો ફસાયા, ફાયર ટીમમાં દોડધામ
ફાયર બ્રિગેડ દ્વારા મળતી માહિતી મુજબ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાનો મેસેજ મળ્યો હતો જેના પગલે ફાયર બ્રિગેડની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતા
ADVERTISEMENT
50 લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કઢાયા
ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા છે. લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાથી તેઓને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: CMનો સંવેદનાત્મક નિર્ણય: હવેથી VCEને કામગીરી માટે ચૂકવાશે ન્યુનતમ આટલા રૂપિયા
ત્રીજા માળે ફસાયેલા લોકોનું રેસ્કયું
ADVERTISEMENT
કોમ્પ્લેક્સના ત્રીજા માળે લોકો ફસાયા હતા. તેમને કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.