બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આઝાદી બાદ દેશનું પહેલુ બજેટ તત્કાલીન નાણાં મંત્રી આર.કે. શાનમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કર્યું હતુ. આ બજેટ લગભગ સાડા 7 મહિના માટે 15 ઓગસ્ટ, 1947થી 31 માર્ચ, 1948 સુધી રજૂ કરવામાં આવ્યુ હતુ. આ બજેટમાં રેવન્યુ વધારવાનો લક્ષ્ય 171.85 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. રાજકોષીય ખાતનું લક્ષ્ય ત્યારે 24.59 કરોડ રૂપિયા હતુ.
ભારત-પાક. નું એક જ ચલણ હતુ
ADVERTISEMENT
આ બજેટમાં ભારત અને પાકિસ્તાન સપ્ટેમ્બર 1948 સુધી એક જ ચલણનો ઉપયોગ કરશે તેવી સંમતિ પણ હતી. પ્રથમ બજેટ રજૂ કરતા શેટ્ટીએ કહ્યું હતુ કે હું આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ કરુ છુ. આ ઐતિહાસિક ઘટના છે અને મને ખુશી છે કે આ બજેટને રજૂ કરવાનો અવસર મને મળ્યો છે. સન્માનની સાથે જ મને આ જવાબદારીનો પણ અહેસાસ છે જે દેશના નાણામંત્રીની જવાબદારી મળી છે.
તે સમય સાંજે 5 વાગે રજૂ થતુ હતુ બજેટ
ADVERTISEMENT
પ્રથમ બજેટ સાંજે 5 વાગે રજૂ થયુ હતુ. આ પરંપરા 1999 સુધી ચાલુ રહી, જ્યારે ફેબ્રુઆરીના છેલ્લા કાર્યદિવસોની સાંજે બજેટ રહેતુ હતુ. બ્રિટિશ કાળથી ચાલી આવતી આ પરંપરા 2001માં તૂટેલી જ્યારે તત્કાલિન નાણાં મંત્રી યશવંત સિંહાએ સવારે 11 વાગે બજેટ રજૂ કર્યું. જોકે 2017થી ફેબ્રુઆરીના છેલ્લા વર્કિંગ ડેના કારણે પહેલા વર્કિંગ ડે પર જ બજેટ રજૂ કરવામાં આવે છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.