ભારતીય સેના / દુશ્મનોને તેમના ઘરમાં ઘૂસીને મારશે આઈબીજીના જાંબાજો : ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદ પર થશે તહેનાત

Indian Army facilitated with IBG special force with highly trained personnel

ભારતીય સેનાના ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ (આઈબીજી) આદેશ મળ્યાના માત્ર 12 કલાકની અંદર જ દુશ્મનના ઘરમાં ઘૂસીને તેને તબાહ કરી દેશે. આ ગુણવત્તા તેમની વિશેષ કાર્યક્ષમતામાં સામેલ છે. સ્વરક્ષણ હોય કે આક્રમણ, યુદ્ધ જેવી કોઈપણ સ્થિતિ સામે તાત્કાલિક લડવામાં આ ટુકડી દરેક ક્ષણે તૈયાર રહેશે. આ મહિનાના અંત સુધીમાં જમ્મુ નજીકની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આઈબીજીના જાંબાજ જવાનોને તહેનાત કરવામાં આવશે. ત્યારબાદ લદ્દાખ, પૂર્વોત્તરના સરહદી વિસ્તારો અને રાજસ્થાનમાં પણ તબક્કાવાર તેમને તહેનાત કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ