બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Mayur
Last Updated: 12:20 PM, 21 August 2021
અફઘાનિસ્તાન તાલિબાનોના કબજા હેઠળ આવી ગયું છે ત્યારથી ત્યા વસતા અન્ય દેશના નાગરિકો,મહિલાઓ અને લઘુમતીઓ માટે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. લોકો દેશ છોડીને જલ્દીથી નાસી જવા માટે ઉતાવળા બન્યા છે.
85 ભારતીયો વતન પરત આવશે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ ભારત સરકારે પણ પોતાના નાગરિકોને પરત લાવવા માટે કવાયત હાથ ધરી દીધી હતી. આજે ભારતીય વાયુ સેનાનું વધુ એક વિમાન નાગરિકોને પરત લાવી રહ્યું છે. સેનાનાં C-130J વિમાન માં પરત આવી રહેલા 85 ભારતીયો વતન આવી રહ્યા છે.
તાજિકિસ્તાન ઉતર્યું હતું વિમાન
એવું પણ કકહેવાય છે કે C-130J વિમાન તાજિકિસ્તાનમાં ફ્યુઅલ કરાવવા માટે ઊભું રહ્યું હતું. આ વિમાન કાબુલથી દિલ્હી આવી રહ્યું છે. 140 મુસાફરોને લઈને અગાઉ મંગળવારે પણ એક વિમાન આવી ચૂક્યું હતું.
થોડા દિવસ પહેલા ભારતના રાજદૂત અને તેમના પરિવારને લઈને ભારત આવ્યું હતું વિમાન
અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે હવે મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાનમાંથી પલાયન થઈ રહ્યા છે. વિશ્વની મહાસત્તાએ પણ હવે હાથ ઉંચા કરી લેતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે, વિમાનમાં લોકો લટકીને પણ લોકો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવામાં ભારતીય વાયુ સેના દ્વારા રેશ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.વાયુસેનાના સ્પેશિયલ મિશન અંતર્ગત ભારતીયોને પરત લાવવાના પ્રયાસો કરવોમાં આવી રહ્યા છે ત્યારે ભયંકર પરિસ્થિતિની વચ્ચે અફઘાનિસ્તાનથી ભારતીય એરફોર્સનું C-17 એરક્રાફ્ટ નાગરિકોને લઈને જામનગરમાં પહોંચ્યું હતું.
ભારતીયોને લઇને કાબુલથી જામનગર પહોંચ્યું વિમાન
ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 130થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 10.45 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું હતું જે સમયે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર પણ હાજર રહ્યા હતા. તેમજ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime