બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:58 PM, 23 June 2024
India Final Scenario in T20 World Cup 2024: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં તેની બંને પ્રારંભિક મેચો જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. ભારતીય ટીમે પહેલા સુપર-8માં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ પછી બાંગ્લાદેશને હરાવ્યું. હવે આ તબક્કામાં ભારતીય ટીમે તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આ મેચ 24 જૂને ગ્રોસ આઈલેટમાં રમાશે.
ADVERTISEMENT
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી દીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. આ ટીમે અગાઉ સુપર-8માં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. હવે સેમીફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે.
પરંતુ અફઘાનિસ્તાને રવિવારે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ગ્રુપ-1નું સમગ્ર સમીકરણ બદલી નાખ્યું છે. આ પરિણામ બાદ સેમિફાઈનલમાં ભારતીય ટીમનું સ્થાન નિશ્ચિત થઈ ગયું હતું. અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની સાથે બાંગ્લાદેશ માટે પણ સેમીફાઈનલના દરવાજા ખુલી ગયા છે.
ADVERTISEMENT
જો કે અફઘાનિસ્તાનની જીતે ભારતીય ટીમને મોટી ભેટ આપી છે. હવે ભારતીય ટીમ માટે પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સેમિફાઈનલમાં પ્રવેશવાની સુવર્ણ તક છે. જો આમ થશે તો ભારતીય ટીમને સેમીફાઈનલમાં વરસાદથી ડરવાની જરૂર નથી.
ભારતની સેમિફાઇનલ પર વરસાદનો ડર
ચાહકો અહીં થોડા મૂંઝવણમાં હોઈ શકે છે? પરંતુ એ સ્પષ્ટ કરી દઈએ કે ભારતીય ટીમે 27 જૂને ગુયાનામાં તેની સેમીફાઈનલ મેચ રમવાની છે. જ્યાં તે દિવસે વરસાદની પ્રબળ સંભાવના છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની સેમીફાઇનલ મેચ વરસાદના કારણે ધોવાઇ શકે છે. જો આવું થાય છે, તો જે ટીમ તેના ગ્રુપ સ્ટેજમાં ટોચ પર હશે તેને ફાયદો થશે અને તે સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.
Afghanistan's unforgettable win over Australia keeps the race for semi-final spots from Group 1 wide open 👊
— ICC (@ICC) June 23, 2024
👉 https://t.co/5r9YRQxCRY pic.twitter.com/Uunw28ab1R
આ વર્લ્ડ કપમાં એક બીજું સસ્પેન્સ છે. એટલે કે બીજી સેમીફાઈનલ માટે આઈસીસીએ કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જ્યારે પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો બીજી સેમીફાઈનલમાં વરસાદ પડે તો તે મેચ માટે રિઝર્વ ડેને બદલે 4 કલાક 10 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી મેચ તે જ દિવસે સમાપ્ત થઈ શકે.
વરસાદના કારણે મેચ રદ્દ થશે તો શું થશે?
પરંતુ અહીં સમસ્યા એ છે કે જો વરસાદ નહીં અટકે તો મેચ રદ્દ કરવી પડશે. આવી સ્થિતિમાં, નિયમો અનુસાર તેના જૂથમાં ટોચ પર રહેલી ટીમને જ ફાયદો મળશે. જો ભારતીય ટીમ તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમીફાઈનલમાં પ્રવેશ કરે છે તો તેને વરસાદના કારણે મેચ રદ્દ થઈ જાય તેવો ડર રાખવાની જરૂર નથી.
વધુ વાંચોઃ પેટ કમિન્સ બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટનની ટીમ ઈન્ડિયાને ચેતવણી, અફઘાનિસ્તાન સામે હાર બાદ આપી પ્રતિક્રિયા
ભારતનું તેના ગ્રુપમાં ટોચ પર રહેવાનું સમીકરણ
- જો ભારતીય ટીમ તેની સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરશે.
- જો ભારતીય ટીમ તેની સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી જાય છે તો તેણે ધ્યાન રાખવું પડશે કે હારનું માર્જીન વધારે ન રહે. જો આમ થશે તો ભારતીય ટીમ છેલ્લી મેચ હાર્યા બાદ પણ પોતાના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.