બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 AM, 2 October 2025
ભારતીય રાજદ્વારી મોહમ્મદ હુસૈને જીનીવામાં UNHRC ના 60મા સત્રની 34મી બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું, "ભારતને એ વાત ખૂબ જ વિરોધાભાસી લાગે છે કે પાકિસ્તાન જેવો દેશ બીજાઓને માનવાધિકારનો ઉપદેશ આપવાનો પ્રયાસ કરે છે. બીજાઓને પ્રશ્ન કરતા પહેલા, તેણે પોતાના દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર નજર નાખવી જોઈએ."
ADVERTISEMENT
ભારતે UNHRCમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.ભારતે લઘુમતીઓના મુદ્દા પર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. ભારતે કહ્યું કે જે દેશ પોતાના દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરે છે તે બીજાઓને માનવાધિકારનો ઉપદેશ કેવી રીતે આપી શકે ?
Bharat again exposes Bhikharistan at UNHRC.
— BhikuMhatre (@MumbaichaDon) October 1, 2025
"India finds it deeply ironic that country like Pakistan lectures others on human rights. Instead of spreading propaganda, Pakistan should confront persecution of minorities on its own soil"
Bharat will raise atrocities in PoK next. pic.twitter.com/3Pz8ajtFuA
ADVERTISEMENT
તેમણે કહ્યું પાકિસ્તાન અનેક વખત ભારત સામે જૂઠું બોલતું રહ્યું છે. તેણે ભારત સામે વારંવાર માનવાધિકાર ભંગના ગંભીર આરોપો લગાવ્યા છે, પરંતુ સત્ય એ છે કે પાકિસ્તાન પોતે આતંકવાદ માટે જવાબદાર છે, અને તેની ધરતી પર દરરોજ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારોમાં વધારો થયો છે, આ વાતનો ખુલાસો અસંખ્ય અહેવાલોમાં થયો છે.
આ પણ વાંચોઃ સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, દ્રૌપદી મુર્મુ પાસે કરી આ માગ
ADVERTISEMENT
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પણ વિરોધ પ્રદર્શનો નિયમિત ઘટના છે. બલૂચ નેશનલ મૂવમેન્ટના માનવાધિકાર સંગઠન, Paankએ 2025ના પહેલા ભાગમાં 785 ગુમ થવાનો અને 121 હત્યા થવાનો રિપોર્ટ નોંધાવ્યો છે.. પશ્તુન સંગઠનોએ પણ નોંધપાત્ર દાવા કર્યા છે, જેમાં એક જ વર્ષમાં લગભગ 4,000 ગુમ થયાની જાણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, જ્યારે આ આંકડા જાહેરમાં ઉપલબ્ધ છે, ત્યારે પાકિસ્તાનમાં ઘણા એવા વ્યક્તિઓ પણ છે જેઓ ગુમ થયા હતા અથવા તેમની હત્યા કરવામાં આવી હતી, પરંતુ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.