બ્રેકિંગ ન્યુઝ
ભારતે એક દિવસ પહેલાં જ પોતાની અંતિમ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્માની પ્રથમ વખત ટેસ્ટ મેચમાં ઓપનિંગ તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે કોહલીએ આ મેચમાં યુવા વિકેટકિપર ઋષભ પંતને બહાર બેસાડી અનુભવી વિકેટકિપર ઋદ્ધિમાન સાહાને તક આપી છે.
ADVERTISEMENT
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતને જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. રોહિત શર્મા અત્યાર સુધી મધ્ય ક્રમમાં બેટિંગ કરતો હતો, પરંતુ લોકેશ રાહુલના ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટ મેચમાં હવે ઓપનર તરીકે તક આપવામાં આવી છે.
અંતિમ ઇલેવન
ટીમ ઇન્ડિયાઃ વિરાટ કોહલી (સુકાની), અજ્કિંય રહાણે (ઉપસુકાની), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઋદ્ધિમાન સાહા (વિકેટકિપર), ઇશાંત શર્મા, મો. શમી
દક્ષિણ આફ્રિકાઃ એડેન માર્કરમ, ડીન એલ્ગર, થ્યૂનિસ ડી બ્રુઇન, ટેમ્બા બાવૂમા, ફાક ડુ પ્લેસિસ (સુકાની), ક્વિંટન ડિ કૉક (વિકેટકિપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પીટ, કેગિસો રબાડા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.