બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Megha
Last Updated: 05:30 PM, 25 May 2023
આજની ભાગદોડભરી અને તણાવપૂર્ણ જિંદગીમાં એસિડિટીની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે, જેનું મુખ્ય કારણ આપણી ફૂડ પેટર્ન અને લાઈફ સ્ટાઈલ છે. પિત્ઝા, પાસ્તા અને સમોસાં બર્ગર જેવાં જંક ફૂડ અને બહારનો વધુ તીખો અને તળેલો ખોરાક તેનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત રાત્રે મોડે સુધી ઉજાગરા અને સવારે મોડા ઊઠવાની ટેવ પણ પાચન પર ખરાબ અસર કરે છે. ચા, કોફી વારંવાર લેવાની આદતને કારણે પણ એસિડિટીની સમસ્યા થતી હોય છે. જમીને તરત સૂઈ જવાની આદતથી પણ એસિડિટી વધે છે. પાણી ઓછું પીવાની આદત હોય તેમને પણ એસિડિટી રહેતી હોય છે. રૂટિન ડાયટમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવામાં આવે તો એસિડિટીમાં રાહત મળી શકે છે.
કેળાંઃ
કેળાં બેસ્ટ ફ્રૂટ અને નેચરલ એન્ટાસિડ છે. બ્રેકફાસ્ટમાં જો નિયમિત કેળાં લેવામાં આવે તો એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.
નારિયેળનું પાણીઃ
નારિયેળનું પાણી કુદરતી આલ્કલાઈન છે. માટે તે કુદરતી રીતે જ એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.
ગોળઃ
ઘણા લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે. એસિડિટીની તકલીફવાળા લોકો ભોજનમાં બંને ટાઈમ ગોળનો ઉપયોગ કરે તો એસિડિટી થવાની શક્યતાઓ ઘટી જાય છે.
હર્બ્સઃ
અજમો, તુલસી, ફૂદીનો એસિડિટીમાં જલદી રાહત આપે છે. અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. પણ જો આ હર્બ્સનો ઉપયોગ રોજ કરશો તો એસિડિટીને દૂર રાખી શકશો.
વરિયાળીઃ
આપણે ત્યાં જમ્યા પછી વરિયાળી ખાવાની પરંપરા છે. કારણ કે તે એસિડિટીને દૂર રાખીને પાચનતંત્રને ચોખ્ખું રાખે છે. માટે જ જમ્યા પછી વરિયાળી ખાવાનું ભૂલશો નહીં.
સફેદ કોળાંનો જ્યૂસઃ
સફેદ કોળાં ઉત્તર ભારતમાં વધુ જોવા મળે છે. તેનો જ્યૂસ ખૂબ જ ગુણકારી છે. રોજ સવારે સફેદ કોળાનો જ્યૂસ પીશો તો એસિડિટી થશે નહીં. પણ જેમને કફની પ્રકૃતિ હોય તેમણે આ જ્યૂસ પીવો નહીં. કારણ કે સફેદ કોળાની તાસીર ઠંડી હોય છે.
પાણી વધુ પીવોઃ
એસિડ દૂર કરનારી દવાઓની સરખામણીમાં પાણી વધુ અસરકારક રહે છે. એક ગ્લાસ પાણી પીધું હોય તો એક મિનિટમાં જ રાહત થાય છે ત્યારે એસિડ દૂર કરનારી દવાઓથી એટલી જ અસર બે કલાકમાં થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime