બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Include these superfoods in your diet to get rid of acidity problems

હેલ્થ ટિપ્સ / એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા ડાયટમાં સમાવેશ કરો આ સુપરફૂડનો, દવાઓની સરખામણીમાં છે વધુ અસરકારક

Megha

Last Updated: 05:30 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમીને તરત સૂઈ જવાની આદતથી અને પાણી ઓછું પીવાની આદતને કારણે એસિડિટી રહેતી હોય છે. રૂટિન ડાયટમાં આ સુપરફૂડનો સમાવેશ કરવામાં આવે તો એસિડિટીમાં રાહત મળી શકે છે.

  • જંક ફૂડ અને બહારનો વધુ તીખો ખોરાક એસિડિટીનું કારણ 
  • એસિડિટીની સમસ્યાને દૂર ભગાવશે આ સુપરફૂડ

આજની ભાગદોડભરી અને તણાવપૂર્ણ જિંદગીમાં એસિડિટીની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે, જેનું મુખ્ય કારણ આપણી ફૂડ પેટર્ન અને લાઈફ સ્ટાઈલ છે. પિત્ઝા, પાસ્તા અને સમોસાં બર્ગર જેવાં જંક ફૂડ અને બહારનો વધુ તીખો અને તળેલો ખોરાક તેનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત રાત્રે મોડે સુધી ઉજાગરા અને સવારે મોડા ઊઠવાની ટેવ પણ પાચન પર ખરાબ અસર કરે છે. ચા, કોફી વારંવાર લેવાની આદતને કારણે પણ એસિડિટીની સમસ્યા થતી હોય છે. જમીને તરત સૂઈ જવાની આદતથી પણ એસિડિટી વધે છે. પાણી ઓછું પીવાની આદત હોય તેમને પણ એસિડિટી રહેતી હોય છે. રૂટિન ડાયટમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવામાં આવે તો એસિડિટીમાં રાહત મળી શકે છે.

કેળાંઃ 
કેળાં બેસ્ટ ફ્રૂટ અને નેચરલ એન્ટાસિડ છે. બ્રેકફાસ્ટમાં જો નિયમિત કેળાં લેવામાં આવે તો એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.

નારિયેળનું પાણીઃ 
નારિયેળનું પાણી કુદરતી આલ્કલાઈન છે. માટે તે કુદરતી રીતે જ એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.

ગોળઃ 
ઘણા લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે. એસિડિટીની તકલીફવાળા લોકો ભોજનમાં બંને ટાઈમ ગોળનો ઉપયોગ કરે તો એસિડિટી થવાની શક્યતાઓ ઘટી જાય છે.

હર્બ્સઃ 
અજમો, તુલસી, ફૂદીનો એસિડિટીમાં જલદી રાહત આપે છે. અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. પણ જો આ હર્બ્સનો ઉપયોગ રોજ કરશો તો એસિડિટીને દૂર રાખી શકશો.

વરિયાળીઃ 
આપણે ત્યાં જમ્યા પછી વરિયાળી ખાવાની પરંપરા છે. કારણ કે તે એસિડિટીને દૂર રાખીને પાચનતંત્રને ચોખ્ખું રાખે છે. માટે જ જમ્યા પછી વરિયાળી ખાવાનું ભૂલશો નહીં.

સફેદ કોળાંનો જ્યૂસઃ 
સફેદ કોળાં ઉત્તર ભારતમાં વધુ જોવા મળે છે. તેનો જ્યૂસ ખૂબ જ ગુણકારી છે. રોજ સવારે સફેદ કોળાનો જ્યૂસ પીશો તો એસિડિટી થશે નહીં. પણ જેમને કફની પ્રકૃતિ હોય તેમણે આ જ્યૂસ પીવો નહીં. કારણ કે સફેદ કોળાની તાસીર ઠંડી હોય છે.

પાણી વધુ પીવોઃ 
એસિડ દૂર કરનારી દવાઓની સરખામણીમાં પાણી વધુ અસરકારક રહે છે. એક ગ્લાસ પાણી પીધું હોય તો એક મિનિટમાં જ રાહત થાય છે ત્યારે એસિડ દૂર કરનારી દવાઓથી એટલી જ અસર બે કલાકમાં થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ