બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
.ઝારખંડના ખેડૂતો પેઢીઓથી ટસર સિલ્કની ખેતીમાં અમુક પરંપરાઓ અને રૂઢીઓ પાળે છે. જો કે ગુજરાતમાં રેશમની ખેતી પતિ-પત્ની મળીને કરે છે. પણ ઝારખંડના ખેડૂતોની પરંપરા અનુસાર બ્રહ્મચર્ય અને અમુક નિયમો અર્જુન અને આસનના વૃક્ષ પર ઉછરતા ટસર-રેશમના કીડાઓને કીડીઓ, જીવજંતુઓ અને પક્ષીઓથી બચાવે છે. ગુડાબાંદાના અર્જુનબેડા ગામના રહેવાસી ખેડૂતો ટસરની ખેતીના સમયે અમે પત્ની સાથે રાત નથી વિતાવતા.
પત્નીને સ્પર્શતા પણ નથી
ADVERTISEMENT
ખેડૂતો બે મહિના દરમિયાન પત્નીને પતસ્પર્શ સુધ્ધા નથી કરતાં એટલું જ નહીં પણ આ સમયગાળામાં પતિ પત્ની અલગ અલગ રહે છે. આ ખેતી સમયે ખેડૂતો પત્નીઓના હાથે બનેલું ભોજન પણ જમતા નથી. ટસરની ખેતીના સમયે ખેડૂતો ઈંડા અને માંસ તેમજ માછલી ખાતા નથી. જંગલમાં જઈને ઝૂંપડી બનાવીને રહીએ છે. રસોઈ પણ જાતે જ કરે છે.
કેમ બ્રહ્મચર્ય પાળે છે
ADVERTISEMENT
અહીંના ખેડૂતો માને છે કે આ ખેતી દરમિયાન પત્નીઓ સાથે ઊંઘવાથી રેશમની ખેતીમાં રોગ આવી જાય છે. બ્રહ્મચર્ય સિવાય પણ આ ખેડૂતો કેટલાક નિયમોનું પાલન કરે છે. ખેડૂતો સ્નાન કરીને કીડાની રખેવાળી કરવા જાય છે. રખેવાળી દરમિયાન કોઈએ શૌચક્રિયા માટે જવું હોય તો તેઓ શૌચક્રિયા બાદ ફરી સ્નાન કરે છે. રેશમના કીડા બીમાર પડી જાય તો પૂજા પાઠ કરે છે અને ફળ તૈયાર થયા બાદ બકરાની બલિ ચઢાવે છે.
પેઢીઓથી રેશમની ખેતી કરતા ખેડૂતો નિયમો પાળે છે
ADVERTISEMENT
બ્રહ્મચર્ય સહિતના નિયમ પેઢી દર પેઢી પરંપરા અને રૂઢિગત રીતે અહીંના ખેડૂત પરિવારો પાડે છે. આ વિસ્તારમાં તસરની ખેતી કરતા લગભગ બધા જ ખેડૂતો ભલે ગમે તે સમાજ સાથે સંબંધ ધરાવતા હોય, પણ તેઓ આ નિયમોનું ચોક્કસ પાલન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.