બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 10:05 PM, 17 February 2023
આજે રાજકોટ જિલ્લામાં આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પ્રભારી મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં બેઠક મળી હતી. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં શહેર ભાજપના જ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. આમ તો ભાજપની પાર્ટીને શિસ્તની ચર્ચા હંમેશા લોકો કરતા હોય છે ત્યારે આ બેઠકમાં ગેરહાજર રહીને પાર્ટીના જ ધારાસભ્યોએ શિસ્તનો ભંગ કર્યો હતો.પ્રભારી મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં આયોજન મંડળની બેઠકમાં વિકાસના કામ અંગે ચર્ચા કરવાની હતી પરંતું ભાજપ પાર્ટીના જ 6 ધારાસભ્યો ગેરહાજર રહેતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આયોજિત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે હાજરી આપી, ગુણવત્તાસભર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી, જિલ્લાને વિકાસમાં અગ્રેસર બનાવવા અધિકારીઓને અનુરોધ કર્યો અને વિવિધ જનહિતૈષી કામો અંગે વિસ્તૃત સમીક્ષા કરી. pic.twitter.com/TtA1vt7xqW
— Raghavji Patel (@RaghavjiPatel) February 17, 2023
કોણ કોણ ધારાસભ્ય રહ્યા ગેર હજાર?
ગેરહાજર રહેનારા ધારાસભ્યની વાત કરીએ તો રાજકોટ શહેરના ત્રણ બેઠકના ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી. જેમાં દર્શિતા શાહ, ભાનુબેન બાબરિયા, ઉદય કાનગડ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લાની ચાર બેઠકની વાત કરીએ તો ત્રણ બેઠકના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેમાં જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, ગીતાબા જાડેજાની ગેરહાજરી જોવા મળી હતી. મહત્વનું છે કે રાજકોટ બેઠકના રમેશ ટીલાળા હજાર રહ્યા હતા.
અન્ય કામગીરીને લઈને ધારાસભ્યો આવી શક્ય નહીં હોઈ
રાજકોટમાં મળેલી બેઠકમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, જેમાં જળ અભિયાનને લઈને માહિતી આપતા કહ્યું કે, તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવશે. વધુમાં તેમને કહ્યું કે, આજથી લઈને આવનારી 17-5-2023 સુધી ડેમમાં કાપ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવશે.તેમજ ધારાસભ્ય ગેરહાજર મુદ્દે નિવેદન આપતા કહ્યું કે અન્ય કામગીરીને લઈને ધારાસભ્યો આવી શક્ય નહીં હોઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime