બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / In Gujarat Corona Virus New Cases Update with All-City and village

મહામારી / ગુજરાતમાં કોરોનાનું તોફાન નબળું પડ્યું, છેલ્લા 24 કલાકમાં નવા કેસનો આંકડાઓ જાણીને રાહતનો શ્વાસ લેશો

Shyam

Last Updated: 07:44 PM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,210 નવા કેસ નોંધાયા તો 82 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે, લાંબા સમય બાદ મોતનો આંકડો 100ની સંખ્યાની અંદર આવ્યો છે

  • ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
  • 24 કલાકમાં કોરોનાના 8,210 નવા કેસ સાથે 82 દર્દીના થયાં મોત
  • અત્યાર સુધીમાં 1,47,51,911 લોકોને અપાઇ રસી 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,210 નવા કેસ નોંધાયા છે, તો 82 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.

છેલ્લા 24 કલાકમાં 82 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 82 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9121 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,483 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,38,590 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 797 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,04,908 પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં 1,47,51,911 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, આજે રાજ્યમાં 31301 લોકોને રસી આપતાની સાથે અત્યાર સુધીમાં 1,47,83,212 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2240 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 482 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 223 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 519 કેસ, જ્યારે ગ્રામ્યમાં 363 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 372 કેસ અને ગ્રામ્યમાં 163 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ