બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Vishal Khamar
Last Updated: 07:09 AM, 24 December 2023
બિહારના સિવાન જિલ્લામાં શનિવારે મોડી સાંજે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા પર જીવલેણ હુમલો થયો હતો.આ ઘટના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુતુબ છપરામાં બની હતી.બાઇક પર સવાર ત્રણ શખ્સોએ AIMIM નેતા આરિફ જમાલને તેની રેસ્ટોરન્ટમાં મારી નાખવાના ઇરાદે ગુનેગારોએ જમાલ પર ફાયરીંગ કર્યું હતું. જે બાદ બાઈક સવાર સ્થળ પરથી ભાગી ગયા.જમાલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટના રાત્રે 8.30 થી 9 વાગ્યાની આસપાસ બની હતી
આરીફ જમાલ ફાસ્ટ ફૂડની દુકાન ધરાવે છે. આ ઘટના લગભગ 8.30 થી 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ફાયરીંગ કર્યા બાદ બાઈક સવારો ફરાર થઈ ગયા હતા. લોકોએ ઉતાવળમાં આરીફ જમાલને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અહીં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરીઃ વિજય યાદવ
આ મામલામાં હુસૈનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજય યાદવે જણાવ્યું કે આરિફ જમાલની ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી છે. આરીફ દુકાન પર બેઠો હતો. ત્યારે બાઇક સવારોએ તેના પર ફાયરીંગ કર્યું હતું. જેમાં તેને પેટમાં ગોળી વાગી હતી. સ્થાનિક લોકો અને પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મૃત્યુ થયું. હાલ કેસની તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ આરીફ જમાલના પેટમાં માત્ર એક ગોળી વાગી છે. ઘટના બાદ લોકો તેને પહેલા સદર હોસ્પિટલ લઈ ગયા. આ પછી તે અહીંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં જ મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના બાદ પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime