બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાગેડુ લગ્નની નોંધણીને વર્ગ-2 અધિકારી મંજૂરી આપશે, માતાપિતાને નોટીસ મોકલાશે, કાલે સત્તાવાર એલાન
પ્રેમલગ્ન બાદ થતી નોંધણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે વર્ગ-2ના અધિકારીઓ પ્રેમલગ્ન નોંધણીને આખરી મંજૂરી આપશે.પ્રેમલગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા-પિતાને મોકલાશે નોટિસ. વર્ગ 2 અધિકારીની મંજૂરી વગર તલાટી કમ મંત્રી સીધી લગ્ન નોંધણી નહીં કરી શકે.નોટિસ મળ્યાના 30 દિવસમાં માતા-પિતા કે વાલીએ જવાબ રજૂ કરવો પડશે.તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી વર્ગ 2 અધિકારીને મોકલશે. આવતીકાલે મળનારી કેબિનેટમાં નિયમોને મંજૂરી મળે તો સરકાર કરશે સત્તાવાર જાહેરાત
ADVERTISEMENT
વધુ વાંચો: સુરતની 'કૂખ્યાત' કીર્તિ પટેલ ફરી વિવાદમાં, આઈફોન લેવા ખેલ્યો સટ્ટો, 40 હજાર જીતીને દુકાને પહોંચી
દરેક સમાજમાં પ્રેમલગ્ન છે તે મુખ્ય મુદ્દો બની ગયો છે ત્યારે દરેક સમાજમાં આ વિશે ચિંતાઓ વ્યાપી હતી ત્યારે સરકારે પણ આ અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આવતી કાલે મળનારી કેબિનેટ મિટીંગમાં આ નિર્ણય કરવામાં આવશે. પહેલા તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા કરાવવામાં આવતી હતી હવે આ લગ્ન નોંધણીની ફાઈનલ પ્રક્રિયા વર્ગ 2 અધિકારી પૂર્ણ કરશે. તલાટી પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી વર્ગ 2 અધિકારીને મોકલશે.પ્રેમલગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા-પિતાને નોટિસ મોકલાશે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.