બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / If you have this plant inside your house, remove it, according to Vastu Shastra, it is inauspicious for the family
Last Updated: 04:51 PM, 25 April 2024
હિન્દુ ધર્મ અનુસાર, વાસ્તુશાસ્ત્ર લોકોના જીવનમાં ખૂબ ઉપયોગી સાબીત થાય છે. કેમ કે તેમાં ઉલ્લેખ કરેલો છે કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ. જો વાસ્તુ મુજબ ઘરની અંદરની ગોઠવણ અને બનાવટ હોય તો પરિવારને તેની સકારાત્મક ઉર્જા મળે છે, ના હોય તો ઘર -પરિવારમાં નકારાત્મકતા ફેલાય છે અને નુકસાન પણ આવે છે. વાસ્તુમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને ઘરમાં રાખવાથી ભાગ્ય ખુલી જાય છે. પરંતુ કેટલાક એવા છોડ છે, તે જો ઘરમાં હોય તો નકારાત્મકતા ફેલાય છે. આજે એવા છોડ વિશે વાત કરીશું જેને અશુભ માનવામાં આવતા હોવાથી ઘરમાં ન રાખવા જોઈએ.
ADVERTISEMENT
- મેહંદીનો છોડ
જયારે કોઈ ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ હાથમાં મેહંદી લગાવતી હોય છે. પરંતુ મેહંદીના છોડને ઘરમાં ન રાખવો જોઈયે તેને ઘરમાં રાખવો અશુભ મનાય છે.
ADVERTISEMENT
- આંબલી
હરિયાળી અને સકારાત્મક ઉર્જા માટે લોકો ઘરના માર્જિન એરિયામાં આંબલી પણ ઉગાડતા હોય છે. પરંતુ આંબલીના વૃક્ષથી નકારાત્મક ફેલાય છે.
ADVERTISEMENT
- બોનસાઈનો છોડ
ADVERTISEMENT
વિદેશી છોડ બોનસાઈનું પ્રમાણ ભારતમાં વધી રહ્ય છે. પરંતુ વાસ્તુ મુજબ આ બોનસાઈના છોડથી પરિવારના સભ્યોની પ્રગતિ રુંધાય છે.
- કાંટાવાળા છોડ
ઘરની સજાવટ માટે લોકો પ્લાન્ટ લગાવતા હોય છે. પરંતુ વાસ્તુ મુજબ કાંટાવાળા છોડ અશુભ હોય છે. તેનાથી નેગેટિવિટી ફેલાય છે. જેથી તેને ઘરમાં ન રાખવા.
ADVERTISEMENT
- સુુકાઈ ગયેલા છોડ
જો ઘરમાં કોઈ સૂકાઈ ગયેલો છોડ હોય તો તેને તુરંત દૂર કરવો જોઈયે. કેમ કે સૂકાઈ ગયેલા છોડ અશુભ મનાય છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.