બધાં જ પ્રકારની સેવિંગ સ્કીમ્સમાં ફિક્સ્ડ ડિપોઝિટ એ સૌથી વધુ પસંદ કરવામાં આવતી સ્કીમ છે. જો તમે પણ એફડી કરાવી હોય તો આ બદલાવ વિશે જાણી લો.
FD કરાવતા લોકો માટે કામના સમાચાર
ફિક્સ્ડ ડિપોઝિટ એ સૌથી વધુ પસંદ કરવામાં આવતી સ્કીમ છે
આ નિયમ જાણી લો નહીંતર થશે નુકસાન
બચત કરવાની આ પદ્ધતિને તમામ ઉંમરના લોકોને ગમે છે. આનું મોટું કારણ એ છે કે તે અન્ય યોજનાઓની તુલનામાં સલામત અને ઓછામાં ઓછી જોખમી છે. તેમાં ટૂંકાથી લઈ લાંબા ગાળા માટે પણ રોકાણ કરી શકાય છે. આજે અમે તમને એફડી સંબંધિત નિયમો, ટેક્સ સહિતની માહિતી આપીશું. જેને ધ્યાનમાં રાખીને તમે સરળતાથી આ બચત યોજનાનો વધુ સારી રીતે લાભ લઈ શકો છો.
એફડી બે પ્રકારના હોય છે
સામાન્ય રીતે એફડી બે પ્રકારની હોય છે. પહેલી ક્યુમુલેટિવ એફડી અને બીજી ન નોન-ક્યુમુલેટિવ એફડી છે. તેમમાં ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે વ્યાજની ચુકવણી કરવામાં આવે છે. જોકે, તમે નિયમિત અંતરાલ પર પણ વ્યાજનો લાભ મેળવી શકો છો.
ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાના ફાયદા
ફિક્સ્ડ ડિપોઝિટ એ સલામત રોકાણ વિકલ્પોમાંથી એક માનવામાં આવે છે.
આમાં જમા પૈસા પર કોઈ જોખમ નથી. આ સાથે તમે નિયત અવધિમાં વળતર પણ મેળવી શકો છો.
તેમાં રોકાણ કરેલી મૂળ રકમ સલામત રહે છે કારણ કે એફડી પર બજારના વધઘટની સીધી અસર જોવા મળતી નથી.
આ સ્કીમમાં રોકાણકારો માસિક વ્યાજનો લાભ લઈ શકે છે.
સામાન્ય રીતે એફડી પર ઉપલબ્ધ વ્યાજ દર વધારે હોય છે. વરિષ્ઠ નાગરિકો માટે તે સૌથી વધુ વળતર આપે છે.
કોઈ પણ એફડીમાં માત્ર એક જ વાર રોકાણ કરવું પડે છે. જો રોકાણકાર આ પછી વધુ ડિપોઝિટ કરવા માંગે છે, તો તેણે અલગ એફડી ખાતું ખોલવું પડશે.
એફડીની એક મેચ્યોરિટી અવધિ હોય છે, તમારે ઘણાં વર્ષો માટે પૈસા જમા કરાવવા પડે છે. પરંતુ એક ફાયદો એ પણ છે કે જો જરૂર પડે તો તમે સમય પહેલાં પૈસા ઉપાડી શકો છો. જોકે મેચ્યોરિટી પહેલાં જો તમે એફડી તોડશો તો તમારું વ્યાજ નહીં મળે, તેના પર થોડી પેનલ્ટી ભરવી પડશે. જે જુદી જુદી બેંકોમાં અલગ છે.
એફડી પર કર કપાતનો નિયમ શું છે
ફિક્સ ડિપોઝિટ પર 0થી 30 ટકા સુધી ટેક્સ કપાત છે. તે રોકાણકારના આવકવેરા સ્લેબના આધારે કાપવામાં આવે છે. જો તમે એક વર્ષમાં 10,000 રૂપિયાથી વધુની કમાણી કરો છો, તો તમારે તમારી એફડી પર 10 ટકા ટેક્સ ભરવો પડશે. જોકે, આ માટે તમારે તમારા પાનકાર્ડની એક કોપી સબમિટ કરવાની રહેશે. જો પાનકાર્ડ સબમિટ કરવામાં નહીં આવે, તો તેના પર 20 ટકા ટીડીએસ કાપવામાં આવે છે. જો રોકાણકાર કર કપાતને ટાળવા માંગે છે, તો આ માટે તેમણે તેમની બેંકમાં ફોર્મ 15 એ સબમિટ કરવું જોઈએ. આ તે લોકો માટે લાગુ પડે છે જે કોઈપણ આવકવેરાના સ્લેબમાં આવતા નથી. વરિષ્ઠ નાગરિકોએ કર કપાત ટાળવા માટે ફોર્મ 15 એચ સબમિટ કરવું જોઈએ.