બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, પગની સર્જરી માટે આવેલા દર્દીના મોત બાદ બેદરકારીનો આરોપ

ગુજરાત / અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, પગની સર્જરી માટે આવેલા દર્દીના મોત બાદ બેદરકારીનો આરોપ

Published By: Nidhi Panchal
Reported By: Dipak Solanki

Last Updated: 05:16 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. પગની પ્લાસ્ટિક સર્જરી માટે આવેલા દર્દીના મોત બાદ પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારી અને વધુ એનેસ્થેસિયા આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના મોતનો મામલો સામે આવતા પરિવારજનોએ તબીબોની બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, પગની પ્લાસ્ટિક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા યુવરાજ નાડિયાનું ઓપરેશન દરમિયાન વધુ માત્રામાં એનેસ્થેસિયા આપવામાં આવતા તેમનું મોત થયું હતું. આ ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ahd-Civil-2

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના બરવાળા ગામના રહેવાસી યુવરાજ નાડિયાને અકસ્માત બાદ પગની પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, દર્દીની સર્જરી પહેલાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જોકે, ઇન્જેક્શન આપ્યા બાદ યુવરાજ અચાનક ઢળી પડ્યા અને તેમનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે.

તેમનો ભાઈ પોતાના પગની સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો

મૃતક યુવરાજ નાડિયાના ભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમનો ભાઈ પોતાના પગની સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો અને સર્જરી સામાન્ય હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ તેમની તબિયત બગડી ગઈ અને થોડા જ સમયમાં તેમનું મોત થયું. પરિવારજનોએ આ સમગ્ર ઘટનાને ડોક્ટરોની ગંભીર બેદરકારી ગણાવી છે. તેમણે જણાવ્યું કે જો યોગ્ય રીતે સારવાર આપવામાં આવી હોત તો તેમના ભાઈનો જીવ બચી શક્યો હોત. પરિવારજનોએ જવાબદાર ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી

આ સમગ્ર મામલે અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે દર્દીનું ઓપરેશન સામાન્ય પ્રકારનું હતું. તેમ છતાં દર્દીનું મોત કયા કારણોસર થયું તે અંગે હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઘટનાની તમામ હકીકતોની તપાસ કર્યા બાદ જે પણ વિભાગના જવાબદાર ડોક્ટર અથવા અન્ય સ્ટાફની બેદરકારી સામે આવશે, તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ઘરે ચાલીને સારવાર માટે હોસ્પિટલ આવ્યા

પરિવારજનોએ જણાવ્યું છે કે યુવરાજ નાડિયા પોતાના ઘરે ચાલીને સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન થયેલી કથિત બેદરકારીના કારણે તેમનું મોત થયું છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી હોસ્પિટલોમાં સારવારની ગુણવત્તા અને દર્દીઓની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. હવે સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રની તપાસ શું પરિણામ લાવે છે અને જો બેદરકારી સાબિત થાય તો જવાબદાર સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : આનંદનગરની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું! વેરિફિકેશન વગરના 57 ગાર્ડને છૂટા કરાયા

નોંધ: દર્દીના પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારી અને વધુ એનેસ્થેસિયા આપવાનો આરોપ લગાવ્યો છે. હોસ્પિટલ તંત્રે મોતના કારણોની તપાસની જાહેરાત કરી છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad, Blackout fiasco Medical Negligence Asarwa Civil Hospital

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ