બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / 'If the Ram temple is inaugurated in Ayodhya then again. what did Uddhav Thackeray say,hear the statement
Megha
Last Updated: 04:12 PM, 11 September 2023
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે' તેઓ ફરી એકવાર ગોધરા જેવી ઘટના આયોજિત કરી શકે છે અને રામ મંદિરના ઉદ્ઘાટન વખતે આ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ચૂંટણી જીતવા માટે થઈ શકે છે. '
VIDEO | "It is a possibility that the government could invite a large number of people for the Ram Temple inauguration in buses and trucks, and on their return journey, an incident similar to that in Godhra may occur," said Shiv Sena (UBT) leader Uddhav Thackeray earlier.
— Press Trust of India (@PTI_News) September 11, 2023
STORY… pic.twitter.com/iEZocaMs9c
ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળ્યો
ઉદ્ધવ ઠાકરેએ રવિવારે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા છે અને કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરનારા લોકો સાથે એટલે કે ‘વાપસી યાત્રા’ દરમિયાન ‘ગોધરા જેવી’ ઘટના બની શકે છે. ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
રામ મંદિરના ઉદ્ઘાટન માટે મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને આ નિવેદન રવિવારે મુંબઈથી 400 કિમી દૂર જલગાંવમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે 'એવી સંભાવના છે કે સરકાર રામ મંદિરના ઉદ્ઘાટન માટે અહીંથી મોટી સંખ્યામાં લોકોને બસો અને ટ્રકોમાં આમંત્રિત કરી શકે છે અને તેમની પરત યાત્રામાં ગોધરા જેવી ઘટના બની શકે છે. '
નોંધનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહેલા 'કારસેવકો' (રામ મંદિર આંદોલનમાં ભાગ લેનારા સ્વયંસેવકો માટે સંઘ પરિવારનો શબ્દ) પર ગુજરાતના ગોધરા સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની ટ્રેનના કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. એ બાદ રાજ્યભરમાં મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime