IBએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને સૂચન કરી અને દેશના મંત્રી અને પોલીસ પર હુમલાની આશંકા વ્યકત કરી છે. ગુજરાતના અનેક સ્થળો અને મંત્રીઓ પર હુમલાની ચેતવણી અપાઇ છે. NRCના નામે આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરવાની ચેતવણી આપતો પત્ર સ્ટેટ IBને મળતા સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે. IB ગુજરાત સરકારને ચેતવી, અમિત શાહ, CM રૂપાણી સહિત 13 મંત્રીઓ આંતકીઓના નિશાને હોવાની ધમકી મળી છે.
ધમકી અંગેનો પત્ર મળતા જ IB અને પોલીસ સક્રિય
DGP અને ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી
તમામ જીલ્લા પોલીસ અધિક્ષકેને એલર્ટ રહેવા આદેશ અપાયો
મળતી માહિતી મુજબ સેન્ટ્રલ IB દ્વારા આ પત્ર સ્ટેટ IBને આપવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું છે કે, અમે છેલ્લા ઘણાં દિવસથી તમારા શહેરમાં છીએ અને ચોક્કસ લોકોને ટાર્ગેટ કરી તેમના પર હુમલો પણ કરાશે.
‘બચાવી શકો તો ગુજરાતને બચાવજો.’
રાજકીય સહિત પોલીસ અધિકારીઓ મળી 13 લોકોને આ પત્રમાં ટાર્ગેટ કરાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, NRCના નામ પર આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરાવીશું. ‘બચાવી શકો તો ગુજરાતને બચાવજો.’, પુલવામા અને ઉરીને યાદ રાખજો. હવે મુસલમાનો એક થઈને બહાર નીકળશે.
ડીજીપી શિવાનંદ ઝાએ મિટિંગ બોલાવી
આ પત્રને પગલે ડીજીપી શિવાનંદ ઝાએ મિટિંગ બોલાવી હતી અને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ધમકીભર્યા પત્રમાં અમિત શાહ, CM રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, DGP, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, દિલીપદાસજી, પ્રવિણ તોડગડિયા, ભુષણ ભટ્ટ સહિતના નામનો પણ સમાવેશ છે.
પત્રમાં શું ધમકી અપાઇ?
‘અમે છેલ્લા ઘણા દિવસથી તમારા શહેરમાં છીએ. અમે તમારા અમુક સ્થળો ઉપર અને અમુક લોકો પર હુમલા કરીશું. ઘણા સ્થળોએ દંગા પણ કરીશું. બચાવી શકો તો બચાવજો ગુજરાતને. પુલવામા અને ઉરીને યાદ રાખજો. હવે ખરાબ સમય શરૂ થશે. હવે મુસલમાનો એક થઈને બહાર નીકળશે. NRCના નામ પર આખા ગુજરાતમાં આતંક, દંગા અને સમય મળતા જ હુમલો પણ કરશે. એક મોટા આતંકી હુમલા માટે તૈયાર રહેવું.’