બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Hurt the faith of millions of devotees! Maulana's controversial statement regarding the Somnath temple was so toxic that a complaint wa

ગીર સોમનાથ / લાખો ભક્તોની આસ્થાને ઠેસ.! સોમનાથ મંદિર બાબતે મૌલાનાનું વિવાદિત નિવેદન, એવું ઝેર ઓકયું કે ફરિયાદ થઈ દાખલ

Published By: Vishal Khamar

Last Updated: 11:25 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજિદ રશીદીએ હિન્દુઓની આસ્થા ના પ્રતીક એવા સોમનાથ મંદિર બાબતે વિવાદિત નિવેદન આપ્યું. સાજીદ રશીદી વિવાદિત નિવેદનોને પગલે હંમેશા ચર્ચામાં રહે છે.

  • મુસ્લિમ ધર્મગુરૂ મૌલાના સાજિદે સોમનાથ મંદિર પર આપ્યું વિવાદિત નિવેદન
  • સાજીદ રશીદી વિવાદિત નિવેદનોને પગલે હંમેશા ચર્ચામાં રહે છે
  • કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજિદ રશીદીએ હિન્દુઓની આસ્થા ના પ્રતીક એવા સોમનાથ મંદિર બાબતે વિવાદિત નિવેદન આપ્યું. સાજીદ રશીદી વિવાદિત નિવેદનોને પગલે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેમણે ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદ ઊભો કર્યો છે. આ મૌલાના ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ છે સાજિદ રશીદી.  મૌલાના રશીદે હિન્દુઓની આસ્થા સમાન એવા સોમનાથ મંદિરની પર વિવાદીત નિવેદન આપતા લોકોના લાગણી દુભાવવા પામી છે. 

સોમનાથ મંદિર

કોઈની આસ્થા પર આ રીતે નિવેદન આપવું તે યોગ્ય નથી
કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર બાબતે મૌલાના ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ સાજીદ રશીદીએ એક ન્યૂઝ એજન્સીને સોમનાથ મંદિર વિરૂદ્ધ  લોકોના લાગણી દુભાવતું નિવેદન આપ્યું હતું.  મૌલાનાના ખાનગી ન્યૂઝ એજન્સીને આપવામાં આવેલ નિવેદન બાદ લોકો તેની સામે ફીટકાની લાગણી વરસાવી રહ્યા છે. તેમજ લોકો કહી રહ્યા છે કે કોઈ ધર્મ કે કોઈની આસ્થા પર આ રીતે નિવેદન આપવું તે યોગ્ય નથી.

વિવાદિત નિવેદન કરનાર મૌલાના સાજીદ રશીદ


કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી
વિશ્વભરમાં રહેલા કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારા મૌલાના સાજીદ રશીદના નિવેદન ને કારણે અત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.અને આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સોમનાથ મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરનાર વિધર્મી વિરુદ્ધ નોંધાયો ગુન્હો.ઓલ ઇન્ડિયા ઈમામી એસોસિયેશનના પ્રમુખ મૌલાના મહંમદ સાજીદ રસીદી એ સોમનાથ મંદિર વિશે કરી દીધી હતી વિવાદિત ટિપ્પણી.

વિજયસિંહ ચાવડા-જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ફરિયાદ આધારે પ્રભાસ પાટણ પોલીસે ગુનો નોંધ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

Girsomanath news Maulana Sajid Rashidi ગીર સોમનાથ. મુસ્લિમ ધર્મગુરુ વિવાદિત નિવેદન girsomnath

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ