બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA કિરીટ પટેલના બગાવતી સૂર નરમ પડ્યા, કોંગ્રેસે આપી માગણીઓ પૂરી કરવાની ખાતરી
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાં ચાલી રહેલ જૂથવાદને લઈ રાજીનામું આપે તેવી શક્યતાઓ હતી પરંતુ તેઓએ હવે પીછે હઠ કરી છે અને આ નિર્ણય મોકુફ રાખ્યો છે. જો કે આ બધી અટકળોનો હવે અંત આવ્યો છે અને કિરીટ પટેલ દ્વારા કોંગ્રેસના હાઈ કમાન્ડ સાથે વાત કરવામાં આવી છે. સાથે જ કિરીટ પટેલે જણાવ્યું હતું કે રાજીનામુ આપવામાં હજુ અડધો કલાકની વાર છે. સાથે જ કહ્યું કોંગ્રેસ તરફથી બે માગણીઓનું આશ્વાસન મળ્યું છે..
ADVERTISEMENT

કિરીટ પટેલે તુષાર ચૌધરી પર સાધ્યું નિશાન
ADVERTISEMENT
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી પર પણ કિરીટ પટેલે નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે દંડકનું પદ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું, તુષાર ચૌધરીએ નહીં આવું કિરીટ પટેલે તુષાર ચૌધરીને કહ્યું હતું.
વધુ વાંચો: પાટણના MLA કિરીટ પટેલ આપશે રાજીનામું? અંદરોઅંદર ચાલતા જૂથવાદથી છે નારાજ
ADVERTISEMENT
પાટણ કોંગ્રેસનો વિરોધ
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા કોંગ્રેસ મા કકરાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ પાટણ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલયમા નારાજગીને લઈ તાળાબંધી કરવામાં આવી હતી. જેનુ મુખ્ય કારણ કે પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે કોંગ્રેસ ના પાટણ ઘારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના અનુસૂચિત જાતિ ના પૂર્ણ પ્રમુખ સહિતના કાર્યકરોએ નોઘાવ્યો હતો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.