બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના MLA કિરીટ પટેલ આપશે રાજીનામું? અંદરોઅંદર ચાલતા જૂથવાદથી છે નારાજ

રાજનીતિ / પાટણના MLA કિરીટ પટેલ આપશે રાજીનામું? અંદરોઅંદર ચાલતા જૂથવાદથી છે નારાજ

Vishal Khamar

Last Updated: 12:22 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ કોંગ્રેસમાં જૂથવાદ માથાનો દુઃખાવો બન્યો છે. વધુ એક ધારાસભ્યના રાજીનામાના એંધાણ છે. ધારાસભ્ય કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપી શકે તેવી પણ ચર્ચાઓ શરૂ થવા પામી છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાં ચાલી રહેલ જૂથવાદને લઈ રાજીનામું આપે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. કોંગ્રેસના દંડક પદેથી કિરીટ પટેલ રાજીનામું આપે તેવી સંભાવના છે. પક્ષમાં પોતાની અવગણનાથી ધારાસભ્ય કિરીટ પટેલે નારાજ છે. તેમજ પાટણમાં અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખની નિમણૂંકથી પણ તેઓ અસંતોષ છે. જિલ્લાના હોદ્દેદારોની નિમણૂંક સામે કિરીટ પટેલ નારાજગી જાહેર કરી ચૂક્યા છે. પક્ષમાં સાચા કાર્યકર્તાઓની કદર ન થતી હોવાનો કિરીટ પટેલે દાવો કર્યો છે. વિરોધીઓને પાર્ટીમાં હોદ્દા આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાં ચાલી રહેલ જૂથવાદને લઈ દંડક પદેથી રાજીનામું આપે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. કોંગ્રેસના દંડક પદેથી કિરીટ પટેલ રાજીનામું આપે તેવી સંભાવના છે. પક્ષમાં પોતાની અવગણનાથી ધારાસભ્ય કિરીટ પટેલે નારાજ છે. તેમજ પાટણમાં અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખની નિમણૂંકથી પણ તેઓ અસંતોષ છે. જિલ્લાના હોદ્દેદારોની નિમણૂંક સામે કિરીટ પટેલ નારાજગી જાહેર કરી ચૂક્યા છે. પક્ષમાં સાચા કાર્યકર્તાઓની કદર ન થતી હોવાનો કિરીટ પટેલે દાવો કર્યો છે. વિરોધીઓને પાર્ટીમાં હોદ્દા આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા કોંગ્રેસ મા કકરાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ પાટણ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલયમા નારાજગીને લઈ તાળાબંધી કરવામાં આવી હતી. જેનુ મુખ્ય કારણ કે પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે કોંગ્રેસ ના પાટણ ઘારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના અનુસૂચિત જાતિ ના પૂર્ણ પ્રમુખ સહિતના કાર્યકરોએ નોઘાવ્યો હતો.

વિરોઘ જેના ભાગ રૂપે નવા નિમાયેલા પ્રમુખ જયાબેન સાહે પણ આપી પોતાની પ્રતિક્રિયા જેમાં તેવોએ જણાવ્યું હતુ કે લોકશાહીમા વિરોઘ કરવો એ વ્યાજબી છે. પરંતુ કેવી રીતે કરવોએ સમજ શક્તિનો પરખ છે. એક મહિલા તરીકે મારી અનુસૂચિત જાતિ ના પ્રમુખ તરીકે મારી નિમણુંક કરાઈ છે એ પણ મહિલા સશક્તિ કરણ અભિયાનના ભાગ રૂપે અને વિરોઘમા એક મહિલા તરીકે સ્વીકારવામાં આવે કોઈ નાતી જાતિના વાડામાં ન મુકો જયારે મોવડી મંડળે મને જયારે મુકવામાં આવી છે. ત્યારે વર્ષોથી પાર્ટી સાથે કામ કર્યું છે અને પક્ષ ની વફાદાર તરીકે કામ કર્યું છે પાર્ટી દ્વારા જયારે પણ કોઈ પણ જવાબદારી આપીએ નિષ્ઠાપૂર્વક વિભાવી છે.

આ પણ વાંચોઃ માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત, વાપીમાં બાઈક અકસ્માતમાં બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો

એ કામગીરી જોઈને મને મહુડી મંડળના રાષ્ટ્રીય ચેરમેન રાજેન્દ્ર ગૌતમ અને અમિત ચાવડાની સૂચનાથી અનુસૂચિત જાતિના ચેરમેન તરીકે નિમણુંક કરાઈ છે ત્યારે જે કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરોએ વિરોઘ નોઘાવ્યો છે. તેવોના નામ લીધા વગર જયાબેને જણાવ્યું કે એ એમની માનસિકતા છે મારી નહીં હું તો કોંગ્રેસની વફાદાર સૈનિક છુ અને મોવડી મંડળ જે પણ આદેશ કરશે એને હું માન્ય રાખીશ કારણ કે મેં ક્યારે કોઈને મારા વિરોઘી તરીકે જોયા નથી અને કોંગ્રેસમા જે પણ નાનું મોટુ મન દુઃખ થયું છે એ બધા ભેગા બેસી સમાઘાન કરી નાંખીશુ અને મોવડી મંડળે મને જે આપ્યું છે તે નિર્ણય મોવડી મંડળ બદલે તો મારો કોઈ વિરોઘ નથી તેમ તેવોએ જણાવ્યું હતુ. ત્યારે જોવાનું રહ્યું કોંગ્રેસનો કકળાટ ક્યારે શાંત પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patan News factionalism in Congress Patan Congress
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ