બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમારા ઘર સુધી તો નથી પહોંચ્યું ને ભેળસેળીયું લાલ મરચું? આ 3 રીતે કરો ઓળખ
Last Updated: 04:11 PM, 21 June 2026
આજકાલ દરેક ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ થાય છે પછી ભલે તે ફળો હોય, શાકભાજી હોય કે મસાલા હોય. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પહેલા લોકો હળદર અને સૂકા લાલ મરચાં ખરીદતા હતા અને તેને ઘરે પીસતા હતા પરંતુ હવે તે બજારમાંથી ખરીદવાનું સરળ બન્યું છે. વધતી માંગને કારણે લોકોએ આ મસાલામાં પણ ભેળસેળ કરવાનું શરૂ કર્યું છે. FSSAI એ લાલ મરચાંના પાવડરમાં કૃત્રિમ કલર અને ઈંટની ધૂળ ભેળવતા અનેક ગેંગ પકડી છે અને લોકોને નકલી મરચાં ખાવાનું ટાળવાની ચેતવણી પણ આપી છે. એવામાં આજે અમે તમને નકલી લાલ મરચાંના પાવડરને કેવી રીતે ઓળખવું તે જણાવીશું.
ADVERTISEMENT
લાલ મરચાંને રંગવા માટે સુડાન ડાઈ, લાલ કેમિકલ રંગો અને ઈંટની ધૂળ જેવા ઘટકો તેમાં ભેળવવામાં આવે છે. આ ઘટકો લાલ મરચાંને અસલી જેવા બનાવે છે અને વધુ બારીક હોય છે. જેમાં સ્ટાર્ચનો ઉપયોગ તેને ઘટ દેખાવા માટે પણ થાય છે. તો ચાલો આજે તેને ઓળખવાની રીત વિષે જાણીએ.
ADVERTISEMENT
એક ગ્લાસ લો અને તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરો. ગ્લાસને હલાવો નહીં તેને નીચે બેસવા દો. જો લાલ મરચાંનો પાવડર તરત જ ઓગળી જાય અને પાણીમાં ભળી જાય, લાલ થઈ જાય તો તમારું મરચું નકલી છે. જો લાલ મરચું સપાટી પર હોય અને ધીમે ધીમે ડૂબે તો તે અસલી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તમારા હથેળી પર થોડું પાણી લગાવો અને પછી લાલ મરચાંનો પાવડર ઘસો. જો તમને ખુદરું એટલે ,કે ટીંગલ ટાઈપ લાગે અને રંગ ઉતરી જાય તો તે નકલી હોય છે. નહીં તો મરચું અસલી હોય છે. આ ટેસ્ટ બાદ તમારા હાથ સાબુથી સારી રીતે ધોવાનું ભૂલશો નહીં.
ADVERTISEMENT
લાલ મરચાંનો પાવડર એક બાઉલમાં મૂકો અને તેને થોડો લીંબુના રસ સાથે મિક્સ કરો. જો રસ ઉમેર્યા બાદ પરપોટા દેખાય તો તે નકલી હોય છે. તેમાં ચાક પાવડર કે બીજા ડિટર્જન્ટ હોઈ શકે છે. જો કોઈ પરપોટા ન બને તો તમારું મરચું અસલી છે.
ADVERTISEMENT
તમે આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને અસલી અને નકલી લાલ મરચાં ઓળખી શકો છો. જો તમને નકલી મરચાં મળે તો તરત જ ફૂડ સેફ્ટી હેલ્પલાઇન પર કૉલ કરો અને તેમને જાણ કરો. કેમિકલ યુક્ત લાલ મરચાં ખાવાથી લીવરને નુકસાન અને કેન્સર સહિત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.