બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું મળશે ન્યાય? 11 વર્ષના બાળક સહિત 6 ભાઈઓ-3 બહેનો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા
Last Updated: 03:33 PM, 21 June 2026
મોરબી જિલ્લાના જેતપર ગામે વીજ લાઈન મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલ આમરણાંત ઉપવાસ આંદોલન આજે ચોથા દિવસે પણ યથાવત્ રહ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની માંગણીઓ અંગે હજુ સુધી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે વિરોધ વધુ તેજ બન્યો છે.
ADVERTISEMENT

6 ભાઈઓ અને 3 બહેનો આમરણાંત ઉપવાસ
ADVERTISEMENT
આંદોલનના ભાગરૂપે આજે 6 ભાઈઓ અને 3 બહેનો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસ છાવણી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો એકત્ર થઈ સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.

ADVERTISEMENT
11 વર્ષનો એક બાળક પણ ખેડૂતોના સમર્થનમાં પ્રતીક ઉપવાસ પર બેઠો
ખાસ નોંધનીય બાબત એ છે કે 11 વર્ષનો એક બાળક પણ ખેડૂતોના સમર્થનમાં પ્રતીક ઉપવાસ પર બેઠો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આંદોલન પ્રત્યે વધુ સહાનુભૂતિ અને ચર્ચા જોવા મળી રહી છે.
ADVERTISEMENT

ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઈન સંબંધિત પ્રશ્નોના નિરાકરણ સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. બીજી તરફ ઉપવાસ છાવણી ખાતે ખેડૂતો દ્વારા વીજ કંપની સામે સતત સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સિંહે રિક્ષા પાછળ દોડીને યુવાનને નખ મારીને ઘાયલ કર્યો, તીવ્ર આંચકી આવ્યા બાદ સિંહે દમ તોડ્યો
હાલ સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતો પોતાની માંગણીઓ અંગે સંતોષકારક નિર્ણય ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.