બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સિંહે રિક્ષા પાછળ દોડીને યુવાનને નખ મારીને ઘાયલ કર્યો, તીવ્ર આંચકી આવ્યા બાદ સિંહે દમ તોડ્યો
Last Updated: 03:17 PM, 21 June 2026
અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં સિંહના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરી નજીક બનેલી આ ઘટનામાં સિંહે એક બાઈકચાલક પર હુમલો કર્યો હતો. ઘટનામાં વિશાલ બારૈયા નામના યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી. સિંહે પોતાના નખ મારતા યુવક ઘાયલ થયો હતો, જોકે સદનસીબે તેને ગંભીર ઈજા થઈ નહોતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સિંહ માત્ર બાઈકચાલક પર હુમલો કરીને અટક્યો નહોતો, પરંતુ ત્યારબાદ તેણે એક રિક્ષા પાછળ પણ દોડીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. સિંહને પોતાની પાછળ દોડતો જોઈ રિક્ષાચાલકે બચવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રિક્ષા પલટી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને તમામ લોકો સુરક્ષિત બચી ગયા હતા.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ હતી. પરંતુ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો હતો. મળતી માહિતી મુજબ સિંહને અચાનક 2થી 3 વખત તીવ્ર આંચકી આવી હતી. વનવિભાગના કર્મચારીઓની નજર સામે જ સિંહે અંતિમ શ્વાસ લીધા હતા. સિંહના આ અચાનક મોતને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT
વનવિભાગના પ્રાથમિક અનુમાન મુજબ સિંહને હડકવાની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિંહના વર્તનમાં જોવા મળેલા અસામાન્ય ફેરફારો અને હુમલાખોર વલણને ધ્યાનમાં રાખીને આ સંભાવનાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ અને વૈજ્ઞાનિક તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો : ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા લોકસાહિત્યકાર હકાભા ગઢવી, જેતપર ગામે કર્યું લોકડાયરાનું આયોજન
ADVERTISEMENT
મૃત સિંહને વધુ તપાસ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો છે. વનવિભાગ દ્વારા સિંહના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને જરૂરી લેબોરેટરી પરીક્ષણો હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણોના આધારે જ સિંહના મોત પાછળનું ચોક્કસ કારણ બહાર આવી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.