બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હેલ્થ માટે વરદાનરૂપ છે ફણગાવેલી મેથી, ફાયદા જાણશો તો આજે જ બનાવવાનું શીખી જશો
Last Updated: 07:53 AM, 13 March 2025
મોટા ભાગે આપણા દરેકના ઘરમાં ફણગાવેલા મગ બનતા જ હોય છે. અને આપણે આહારમાં તેનો સમાવેશ પણ કરતાં હોઈએ છીએ. અને મગ ઉપરાંત ચણા પણ ફણગાવીને ખાવામાં આવે તો એ પોષણની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. તેવી જ રીતે શું તમે જાણો છો કે મેથી જે આપણા ઘરમાં શાક તરીકે બને છે તેને પણ ફણગાવીને ખાઈ શકાય છે??? મેથીને જો ફણગાવીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ સારો પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે કેવી રીતે ઘરે મેથીને ફણગાવી શકાય.
ADVERTISEMENT
મેથીને કેવી રીતે ફણગાવવી?
ફણગાવેલી મેથી તૈયાર કરવા માટે મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ગાળીને સ્વચ્છ સુતરાઉ કાપડમાં લપેટીને લટકાવી દો. લગભગ 3 થી 4 કલાક પછી મેથી અંકુરિત થવા લાગે છે. આ અંકુરિત મેથી વિટામિન A,C, B કોમ્પ્લેક્સ, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. જ્યારે આપણે મેથીને પાણીમાં પલાળીએ છીએ ત્યારે તેની કડવાશ દૂર થઈ જાય છે. આ પચવામાં સરળ હોય છે અને તેમાં ઔષધીય ગુણ પણ હોય છે.
ADVERTISEMENT
ફણગાવેલી મેથીના ફાયદા
ADVERTISEMENT

વધુ વાંચો: રોજ સવારમાં ઉઠીને 50 ગ્રામ આ ડ્રાયફ્રૂટ્સ ખાઇ લો, પછી જુઓ, શરીર રહેશે હેલ્ધી એન્ડ ફિટ
ADVERTISEMENT
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.