બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / How did the Rajasthan hospital catch fire? What happened in the CCTV, the vehicles parked in the basement were burnt
Vishal Khamar
Last Updated: 04:16 PM, 30 July 2023
અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલમનાં ભોંયરામાં એકાએક વહેલી સવારે એકાએક આગ લાગતા હોસ્પિટલમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભોંયરામાં લાગેલી આગનાં CCTV સામે આવ્યા છે. હોસ્પિટલનાં ભોંયરામાં આગ શોર્ટ સર્કિટનાં લીધે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ આગ લાગવાનાં કારણે ભોંયરામાં પાર્ક કરેલ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
પરિજનોનો હોસ્પિટલ પર આક્ષેપ
દર્દીઓના પરિવારજનોએ રાજસ્થાન હોસ્પિટલના મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. દર્દીઓના પરિવારજનોએ કહ્યું કે, હોસ્પિટલે દર્દીઓને શિફ્ટ કરવાનો નિર્ણય વહેલા લેવાની જરૂર હતી. તેઓએ કહ્યું કે, હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ પણ દર્દીઓને મુશ્કેલી નહીં પડે તેવું હોસ્પિટલ તંત્રએ કહ્યું હતું. આગ વિકરાળ બન્યા બાદ દર્દીઓને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શિફ્ટિંગ દરમિયાન કેટલાક દર્દીને ગુંગળામણ થઈ રહી હતી.
અઢી કલાક સુધી નિર્ણય ન લઈ શક્યું મેનેજમેન્ટઃ દર્દીના પરિવારજનો
દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં સવારે 3.30 વાગ્યે આગ લાગ્યા બાદ છેક 6 વાગ્યે દર્દીઓના શિફ્ટિંગનો નિર્ણય લેવાયો. લગભગ અઢી કલાક સુધી હોસ્પિટલનું મેનેજમેન્ટ નિર્ણય જ ન લઈ શક્યું કે તેઓને શું કરવું છે. અઢી કલાક બાદ અન્ય હોસ્પિટલોમાંથી એમ્બ્યુલન્સ મંગાવીને દર્દીઓનું શિફ્ટિંગ શરૂ કરાયું. તમામને ઓસવાલ ભવન ખાતે ખસેડાયા.
6 વાગ્યાથી દર્દીઓનું શિફ્ટિંગ કરાયું શરૂઃ ઓસવાલ ભવનના ટ્રસ્ટી
આગ બાદ દર્દીઓના શિફ્ટિંગ મામલે ઓસવાલ ભવનના ટ્રસ્ટીએ VTV ન્યૂઝને જણાવ્યું કે, સવારે 6 વાગ્યે મને હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટરનો ફોન આવ્યો હતો. જે બાદ 6 વાગ્યાથી દર્દીઓને ઓસવાલ ભવન શિફ્ટ કરવાનું શરૂ કરાયું છે. 100થી વધુ દર્દીઓને ઓસવાલ ભવન ખાતે લાવવામાં આવ્યા છે. તમામ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે અહીં વ્યવસ્થા કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime