બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 07:37 PM, 5 March 2022
હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. હોળીના આઠ દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વખતે હોળાષ્ટક 10 માર્ચથી શરૂ થશે. હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટકથી બનેલો છે. હોળાષ્ટક દરમિયાન ઘરમાં પ્રવેશ, મુંડન, સગાઈ, લગ્ન વગેરે જેવા કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે.
જો કે આ સમય પૂજા વગેરેની દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની પાછળ હિરણ્યકશિપ અને પ્રહલાદની વાર્તા કહેવામાં આવી છે. પરંતુ જ્યોતિષના મતે અન્ય કારણો પણ છે જેના કારણે હોલાષ્ટકનો સમય શુભ કાર્ય માટે યોગ્ય માનવામાં આવતો નથી. અહીં જાણો શા માટે હોલાષ્ટક દરમિયાન શુભ કાર્ય કરવાની મનાઈ છે.
આ છે જ્યોતિષીય કારણ
જ્યોતિષવિદોના જણાવ્યા અનુસાર હોળાષ્ટકના દિવસમાં વાતાવરણમાં નકારાત્મકતાનો પ્રભાવ હોય છે. દરેક ગ્રહોના પ્રભાવ નકારાત્મક થઈ જાય છે. હોળાષ્ટકની શરૂઆત અષ્ટમી તિથિથી થાય છે. એવામાં અષ્ટમી તિથિને ચંદ્ર, નવમીને સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ ગુરૂ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમાએ રાહુની ઉર્જા ખૂબ નકારાત્મક રહે છે. તેની અસર વ્યક્તિના વિચારવા અને સમજ ક્ષમતા પર પડે છે. જેનાથી વ્યક્તિ કોઈ ખોટો નિર્ણય લઈ શકે છે.
તે ઉપરાંત આ સમયમાં જો કોઈ શુભ કામ કરવામાં આવે તો ગ્રહોના નકારાત્મકત પ્રભાવના કારણે તમને તેનો સહયોગ નથી મળી શકતો. એવામાં તમારૂ કામ બગડી શકે છે. આ સ્થિતિના પ્રભાવથી પોતાને બચાવવા માટે પ્રભુના નામનું સ્મરણ કરવા માટે કહેવામાં આવ્યું છે. માટે હોળાષ્ટકમાં ઈશ્વરનું નામ લેવા અને પૂજા પાઠ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime