બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hearing on bail plea of accused Jaisukh Patel in Morbi cable bridge accident case
Dinesh
Last Updated: 10:17 PM, 23 July 2023
મોરબીના ગોઝારા કેબલ બ્રિજ દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. આપને જણાવીએ કે, બ્રિજના સંચાલન અને સમારકામની જવાબદારી ઓરેવા કંપની હસ્તક હતી અને સમારકામ વિના જ થીગડાં મારી બ્રિજ ખુલો મુકી દેવાયો હતો જેને લઈ કેબલ બ્રિજ તુટતાં 135થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી
આવતીકાલે ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થનાર છે. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની ધરપકડ બાદ તેમણે જામીન માટે અરજી કરી હતી. જેને લઇને આવતીકાલે સોમવારે સુનાવણી હાથ ધરાશે. મહત્વનું છે કે મોરબીના કેબલ બ્રિજની સમારકામ અને સંચાલનની જવાબદારી ઓરેવા હસ્તક હતી.જો કે સમારકામ વિના જ થિગડાં મારી કેબલ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવાતાં કેબલ બ્રિજ તૂટ્યો હતો. જેમાં 135થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. સમગ્ર મામલે તપાસ બાદ બ્રિજના સમારકામમાં છિંડા સામે આવતાં ઓરેવાના માલિક જયસુખ પટેલની ધરપકડ કરાઇ હતી. ત્યારે જયસુખ પટેલની સુનાવણીને લઇને સમગ્ર ગુજરાતની નજર કોર્ટના ચૂકાદા પર છે.
શું છે મામલો?
30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટવાની બની હતી ઘટના
ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યો હતો જીવ
દુર્ઘટના કેસમાં અત્યાર સુધી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
જયસુખ પટેલની આગોતરા જામીનની અરજીમાં સુનાવણી ટળી હતી
જયસુખ પટેલની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી
બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime