બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / Health Minister Rishikesh Patel visited patients in Andhapa cases at Mandal Hospital in Ahmedabad
Dinesh
Last Updated: 05:37 PM, 17 January 2024
અમદાવાદનાં માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ વિવાદમાં આવી છે. જેમાં આંખની સારવાર કરાવ્યા બાદ દર્દીઓને અંધાપાની અસર થઈ હતી. અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.જો કે, સમગ્ર કેસને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓની મુલાકાત લીધી હતી. અત્રે જણાવીએ કે, ગુજરાતની તમામ સરકારી અને ખાનગી આંખની હોસ્પિટલોમાં હવે તપાસ થશે
આરોગ્ય મંત્રી મુલાકાત લીધી
હાઈકોર્ટે સુઓમોટો કાર્યવાહી કરીને રિપોર્ટ મંગાવતા આરોગ્ય મંત્રીએ આંખની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય કમિશનર સાથે હોસ્પિટલમાં મુલાકાત લઈ દર્દીઓની માહિતી મેળવી હતી તેમજ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સ્વાતિ રવાણી સાથે પણ ચર્ચા કરી હતી.
આરોગ્ય મંત્રીનું નિવેદન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે જણાવ્યું કે, માંડલની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 ઓપરેશન થયા હતા, જે 29 માંથી 17 દર્દી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. 13 જાન્યુઆરીથી તકલીફ થતાં 15 અને 16 તારીખે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગે માંડલની હોસ્પિટલમાં ટીમ મોકલીને તપાસ શરૂ કરી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે. ભૂતકાળની ઘટનાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી
'હોસ્પિટલોમાં ધારાધોરણોની તપાસ કરાશે'
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ માટે 16 જાન્યુઆરીએ આરોગ્ય વિભાગની ટીમને મોકલી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ બને નહી તે માટે સરકારી અને ખાનગી આંખની હોસ્પિટલોમાં ધારાધોરણોની તપાસ કરાશે. હોસ્પિટલમાં અગાઉ 103 દર્દીના ઓપરેશન કરાયા હતા તે તમામ દર્દીઓનો સંપર્ક કરાશે"
તપાસનો ધમધમાટ
અત્રે જણાવીએ કે, માંડલની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 ઓપરેશન થયા હતા. 29 માંથી 17 દર્દી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આરોગ્ય વિભાગે માંડલની હોસ્પિટલમાં ટીમ મોકલીને તપાસ શરૂ કરી છે. ત્યારે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં અગાઉ 103 દર્દીના ઓપરેશન કરાયા હતા તે તમામ દર્દીઓનો સંપર્ક કરાશે
વાંચવા જેવું: અમદાવાદીઓ એલર્ટ! શહેરના આ વિસ્તારો બન્યા હોટ સ્પોટ, 2023માં મોતનો આંક 500ને પાર, કારણ ચોંકાવનારું
બેદરકારીનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 15 દર્દીઓને આંખનું ઓપરેશન કરાવવું ભારે પડ્યું છે. ઓપરેશન બાદ દર્દીઓની એક આંખને અસર થઈ હતી. 3 મહિલાઓ અને 2 પુરૂષો અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓપરેશન બાદ આંખામાં ટીપા નાખવાથી આંખને અસર થયાની આશંકા છે. ત્યારે દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી ઈન્ફેક્શન થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime