બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health eating these vegetable raw get more benefits than cooked
Vidhata
Last Updated: 03:00 PM, 14 April 2024
મોટાભાગે રાંધેલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક ફૂડસ એવા હોય છે જેને જો રાંધીને ખાવામાં આવે તો તેમાંથી તમામ મિનરલ્સ અને પોષક તત્વો મળતા નથી. તેથી જો તમે તમારા શરીરમાં તેમના તમામ પોષક તત્વોને એબ્ઝોર્બ કરવા માંગતા હો, તો આ ખોરાકને રાંધવાને બદલે કાચા ખાઓ. આવો જાણીએ ક્યા છે તે શાકભાજી.
લસણ - ભારતીય રસોઈમાં, લસણનો ઉપયોગ મોટાભાગે ગ્રેવી અને સીઝનીંગ બનાવવામાં થાય છે. જેના કારણે ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ જો તમે લસણને તેના ફાયદા માટે ખાવા માંગો છો, તો તેને કાચું ખાવું વધુ સારું રહેશે. લસણમાં હાજર એલિસિન એ એન્ટીબેક્ટેરિયલ એન્ઝાઇમ છે. તે કેન્સર જેવી ખતરનાક બીમારીઓને પણ શરીરમાં બનતા અટકાવે છે. લસણને રાંધવાથી એલિસિન એન્ઝાઇમ ઘટી જાય છે. જેના કારણે લસણ ખાવાના ફાયદા નથી થતા. જો તમે લસણને તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે ખાવ છો, તો તેને ચટણી અથવા ડિપ્સમાં કાચું ભેળવીને ખાઓ.
ડુંગળી - લસણની જેમ ડુંગળીના ફાયદા પણ તેના એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે છે. કાચી ડુંગળીમાં સલ્ફર અને ફિનોલિક કમ્પાઉન્ડ પણ હોય છે. જે રાંધવાથી ખતમ થઇ જાય છે અને ડુંગળી ખાવાના ફાયદા ઓછા થાય છે. તેથી જો તમે ડુંગળીનો ઉપયોગ વઘાર અથવા ગ્રેવી માટે કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે નહીં. ડુંગળીના મહત્તમ ફાયદા મેળવવા માટે તેને કાચી ખાવી જોઈએ. ખાસ કરીને ઉનાળામાં કાચી ડુંગળી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
વધુ વાંચો: વર્કઆઉટ બાદ તરત જ પાણી પીતા હોય તો ચેતજો, હાઈપોનૈટ્રેમિયાનો ખતરો, આ લક્ષણોને ઓળખજો
કોબીજ, ફૂલકોબી, બ્રોકોલી જેવી શાકભાજી -
કોબીજ, ફૂલકોબી, બ્રોકોલી જેવી શાકભાજીને ક્રુસિફેરસ વેજીટેબલ કહેવામાં આવે છે. આ શાકભાજીને રાંધ્યા પછી ખાવાથી તેના એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરની માત્રામાં ઘટાડો થાય છે. તેથી, આ શાકભાજી કાચા ખાવાના વધુ ફાયદા છે. પરંતુ મોટાભાગના લોકો આ શાકભાજી ખાધા પછી ગેસ્ટ્રિક અને એસિડિટીની ફરિયાદ કરે છે. એવામાં બ્રોકોલી, ફૂલકોબી અને કોબીજ જેવા શાકભાજીને બે મિનિટ રાંધીને ખાવું જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh