બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જાણો સૂતાની 30 મિનિટ પહેલા કેમ પીવું જોઈએ હળદરવાળું દૂધ, 5 લોકો માટે કરે છે જડીબુટ્ટી જેવું કામ

હેલ્થ ટિપ્સ / જાણો સૂતાની 30 મિનિટ પહેલા કેમ પીવું જોઈએ હળદરવાળું દૂધ, 5 લોકો માટે કરે છે જડીબુટ્ટી જેવું કામ

Last Updated: 10:57 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષોથી આપણી મમ્મીઓ અને દાદીઓ હળદરવાળું દૂધ પીવાની સલાહ આપતી જોવા મળે છે. કેમ કે, તેમાં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે. આજે તેના ગુણ અને તેનો પીવાનો યોગ્ય સમય વિશે જાણીશું.

હળદરવાળું દૂધ પીવું શરીર માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેનાથી શરીર અને મન બંનેને લાભ મળે છે. રોગપ્રતિકારક શક્તિ માટે હળદરવાળું દૂધ કોઈ વરદાનથી કમ નથી. હળદર ત્વચાના રોગો,સોજો અને ઝેરી તત્વોને મટાડવા માટે જાણીતી છે. તેમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે શરીરમાં સોજો ઘટાડે છે, રોગો સામે લડવામાં મદદ કરે છે તથા એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. હળદર અને દૂધ વાત, કફ અને પિત્તનું સંતુલન જાળવી રાખે છે.

સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાના ફાયદા

  • જો તમે અનિદ્રાથી પરેશાન હોવ તો હળદરવાળું દૂધ તમારા માટે રામબાણ ઈલાજ બની શકે છે. તેમાં રહેલું ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ મગજને શાંત કરે છે અને ગાઢ ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.
  • તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. એટલું જ નહીં હળદરવાળું દૂધ શરદી, ખાંસી, ગળામાં દુખાવો જેવી સામાન્ય બીમારીમાં પણ રાહત આપે છે.
  • દૂધમાંથી મળતું કેલ્શિયમ અને હળદરના સોજો ઓછો કરવાવાળા ગુણધર્મો સાથે મળીને હાડકાં અને સાંધાને મજબૂત બનાવે છે, ખાસ કરીને સંધિવા અથવા કમરના દુખાવાના કિસ્સામાં ખુબ મદદરૂપ થાય છે.
app promo5
  • આ સિવાય તે ખીલ, ખંજવાળ અથવા ફોલ્લી જેવી ત્વચાની સમસ્યાઓમાં પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે હળદર લોહીને શુદ્ધ કરે છે.
  • જો આપણે પાચનની વાત કરીએ તો હળદર લીવરને સાફ કરે છે અને પાચનમાં સુધારો કરે છે, જે ગેસ, કબજિયાત અને એસિડિટીથી રાહત આપે છે. તે માનસિક તણાવ, ચિંતા અથવા હતાશા સામે લડવામાં પણ મદદરૂપ થાય છે કારણ કે તે સેરોટોનિન અને ડોપામાઇન જેવા હોર્મોન્સને બેલેન્સ કરે છે.
  • તે સ્ત્રીઓ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે માસિક ધર્મ દરમિયાન થતા ખેંચાણ, મૂડ સ્વિંગ અને હોર્મોનલ અસંતુલનને સંતુલિત કરે છે. આ સિવાય જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોવ તો હળદરવાળું દૂધ તમારા મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

વધુ વાંચો : ચેતતા નર સદા સુખી! ચોમાસામાં નહીં પડો બીમાર! આ રોગોને ઓળખો અને આટલી સાવચેતી રાખો

  • હળદરવાળું દૂધ ક્યારે પીવું?

ચરક સંહિતા અનુસાર તેને પીવાનો બેસ્ટ ટાઈમ રાત્રે સૂવાના લગભગ 30 મિનિટ પહેલાનો છે. એ વાત ધ્યાનમાં રહે કે, ખાલી પેટે હળદરવાળું દૂધ ન પીવો. ભોજન કર્યા બાદ તેનું સેવન કરો. યોગ કે પ્રાણાયામ બાદ હળદરવાળું દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Turmeric Milk Health Benefits Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ