બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વડોદરાના સમાચાર / છેક દશેરાના આગલા દિવસે તંત્રએ લીધા ફરસાણના નમૂના, હવે શું, કાલ સુધીમાં તો બધાં લાખોની મીઠાઈ ઝાપટી જશે
Last Updated: 02:34 PM, 1 October 2025
રાજકોટ: દશેરા જેવી મોટી તહેવાર પહેલા રાજકોટ મનપાના આરોગ્ય વિભાગનું ઘોડું દોડ્યું છે. મીઠાઈ અને ફરસાણ પર તંત્રનું ધ્યાન ગયું છે.
ADVERTISEMENT

કઈ કઈ ફરસાણ-મીઠાઈની દુકાનમાંથી નમૂના લીધા
ADVERTISEMENT
તહેવારની સીઝન શરૂ થતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લુઝ સાટા, બરફી, કાજુકતરી, ગાંઠિયા અને જલેબી સહિતના કુલ 32 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ બાલાજી ફરસાણ, જય સિયારામ ફરસાણ અને રાધે કૃષ્ણ ફરસાણ જેવા જાણીતા દુકાનોમાંથી લેવામાં આવ્યા છે.

ADVERTISEMENT
પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ નમૂનાઓના પરિણામો તહેવાર પહેલા આવશે કે નહીં?
સામાન્ય રીતેના સેમ્પલનું લેબ ટેસ્ટિંગ પૂર્ણ થવામાં 7 થી 10 દિવસ લાગી શકે છે. ત્યારે જો હજુ પરિણામો જ ન આવ્યા હોય, તો લોકો એ મીઠાઈ અને ફરસાણ તહેવાર દરમિયાન ખરીદી અને આરોગ્ય માટે જોખમ ભરેલ ખાવાનું ચાલુ રાખશે.
ADVERTISEMENT
વડોદરા શહેરમાં દશેરા પર્વને લઈ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાફડા-જલેબીના ચટાકેદાર વ્યંજનો સાથે આવતીકાલે સમગ્ર શહેર ‘જયાફત’ માણશે. શહેરના મુખ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ફાફડા-જલેબીના સ્ટોલ લાગી ગયા છે અને ગ્રાહકોનો ઘસારો વધવા લાગ્યો છે.

ADVERTISEMENT
હવે તો દશેરાની ઉજવણી માત્ર રાવણ દહન સુધી સીમિત રહી નથી. પરંતુ 'ફાફડા-જલેબી ફેસ્ટિવલ'ના રૂપમાં લોકોના પેટ સુધી પહોંચી ગઈ છે. દર વર્ષે કરોડો રૂપિયાની ફાફડા-જલેબી વેચાણની આશા વ્યાપારીઓ રાખે છે, અને આ વર્ષે પણ ખર્ચક ગ્રાહકો ઉમટવાની શક્યતા છે.

ADVERTISEMENT
ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે શહેરમાં ચેક કરવાનું
પરંતુ શહેરની આરોગ્ય વ્યવસ્થાની બેદરકારી ફરી એકવાર પ્રશ્નચિહ્ન હેઠળ આવી છે. પાલિકા દ્વારા માત્ર પર્વના એક દિવસ પૂર્વે ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે શહેરમાં ચેક કરવાનું શરૂ કર્યું છે. ફાફડા, જલેબી, ચટણી અને અન્ય ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ અનામત રિપોર્ટ આવતા અંદાજે 14 દિવસ લાગશે.

આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણ, પુત્રનો બાપ, આખરે ઝડપાયો ગાંધીનગર મહિલા કોન્સ્ટેબલ મર્ડર કેસનો આરોપી, આવ્યો વળાંક
રિપોર્ટ આવતાં પહેલા જ આ ખોરાકનો સેવન કરી લેશે
એવામાં યોગ્ય સમયસર તપાસના પરિણામ ન મળતા, શહેરજનો રિપોર્ટ આવતાં પહેલા જ મીઠાઈનું સેવન કરી લેશે, અને જો એ ખાદ્ય પદાર્થ અખાદ્ય નીવડે તો આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.