બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પર ગાંધીજીની ગેલેરી ગાયબ!, GPSCના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ ચર્ચામાં
Last Updated: 12:59 PM, 10 January 2025
અમદાવાદ એરપોર્ટ ઉપરથી ગાંધીજીની ગેલેરી ગુમ થવા મામલે GPSC નાં ચેરમેન હસમુખ પટેલનું ચર્ચાસ્પદ ટ્વીટ સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગાંધીજીની ગેલેરી ડિપાર્ચર લાઉન્જ ઉપર હતી. હસમુખ પટેલે ટ્વીટ કરીને ગેલેરી અંગે ધ્યાન દોર્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદ એરપોર્ટ પર ડિપારચર લાઉન્ઝ પહેલા માળે ગાંધીજી વિશે અવતરણોની સુંદર ગેલેરી હતી. અત્યારે હવે તે જગ્યાએ કંઈ નથી. કદાચ કંઈક નવું કરવાનુ હશે. આશા રાખીએ કે આ જગ્યાએ ફરી ગાંધીજી વિશે કંઈક વધુ સુંદર અને પ્રેરણાત્મક ગેલેરી તૈયાર કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 10, 2025
એરપોર્ટ ઉપર ગાંધીજીની ગેલેરી દૂર કરવા અંગે કર્યું ટ્વીટ
ADVERTISEMENT
GPSC ના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ હાલ ચર્ચામાં છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ગાંધીજીની ગેલેરી દૂર કરવા અંગે ટ્વીટ કર્યું હતું. હસમુખ પટેલે લખ્યું કે ગાંધીજીની ગેલેરીની જગ્યાએ હવે કશું નથાી. તેમજ એરપોર્ટનાં ડિયાર્ચર લાઉન્જ ઉપર ગાંધીજીની ગેલેરી ન રહેતા ચિંતા વ્યક્ત કરી હતી.
વધુ વાંચોઃ ઉત્તરાયણમાં વાદળો સાથે રમશે પતંગો, અંબાલાલની નવી આગાહી! પડી જશે જલસો
ADVERTISEMENT
વધુ સારી પ્રેરણાત્મક ગેલેરી તૈયાર થશે તેવી આશા વ્યક્ત કરી
જીપીએસસીનાં ચેરમેન અને પૂર્વ ડીજીપી હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું. જેમાં અમદાવાદ એરપોર્ટ પર ગાંધીજીની ગેલેરી દૂર કરવામાં આવી છે. હસમુખ પટેલ દ્વારા ગાંધીજી વિશેની સુંદર ગેલેરીનાં વખાણ કર્યા હતા. ત્યારે હાલ ગાંધીજીની ગેલેરીની જગ્યાએ હાલ કશું જ નથી. તેમજ એરપોર્નાં ડિપાર્ચર લોજ પર ગાંધીજી વિશે વધુ સારી અને પ્રેરણાત્મક ગેલેરી તૈયાર થશે તેની આશા પણ વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.