બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harsh Sanghvi's big statement on Bhavnagar dummy Kand

નિવેદન / તોડકાંડ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું- યુવરાજસિંહે રકમ મેળવીને પ્લાનિંગથી નામ જાહેર ન કર્યા, ડમીકાંડમાં કોઈને પણ છોડવામાં નહીં આવે

Malay

Last Updated: 03:44 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Dummy Kand: તોડકાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, યુવરાજસિંહે રકમ મેળવીને પ્લાનિંગથી નામ જાહેર કર્યા ન હતા. ડમીકાંડમાં કોઈને પણ છોડવામાં નહીં આવે.

 

  • તોડકાંડ મુદ્દે બોલ્યા હર્ષ સંઘવી
  • યુવરાજસિંહે પ્લાનિંગથી કામ કર્યુઃ સંઘવી
  • પોલીસે પુરાવાના આધારે કાર્યવાહી કરીઃ સંઘવી
  • પોલીસે CCTV પણ રજૂ કર્યા છેઃ સંઘવી

તોડકાંડ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, યુવાનો જે માહિતી આપે છે તેના પર પોલીસ કાર્યવાહી કરે છે. યુવરાજસિંહે જે માહિતી આપી તેના પર કામગીરી કરાઈ છે. 

યુવરાજના નામ પ્રમાણે કાર્યવાહી કરાઈઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, યુવરાજસિંહે રકમ મેળવીને પ્લાનિંગથી નામ જાહેર કર્યા ન હતા. પોલીસે પુરાવા પર કામ કર્યુ, પોલીસે CCTV પણ રજૂ કર્યા છે. ડમીકાંડમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં. સાચી માહિતી મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આરોપીઓનું નામ કેમ છૂપાવ્યું તે પણ તપાસનો વિષય છે. ડમીકાંડનો મુદ્દો રાજકારણ સાથે જોડાયેલો નથી. ભવિષ્યમાં પણ કોઈ માહિતી આપશે તેના પર પણ તપાસ થશે.

આ વ્યક્તિ અનેક કૌભાંડોમાં સંડોવાયેલો છેઃ સી.આર પાટીલ
આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, 'જે વ્યક્તિ પહેલા આવા કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો આજે એ જ આરોપીના પાંજરામાં છે. સ્વાભાવિક પણે જો આવા કોઈ કાંડ થતાં હોય તો તેની માહિતી પોલીસને મળતી હોય છે અને પત્રકારોને મળતી હોય છે. એના બદલે આખા રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએ કોઈ ડમી પરીક્ષા આપવા જાય કે કોઈ પેપરલીક થાય ત્યારે તેની સૌથી પહેલા માહિતી તે વ્યક્તિને મળતી હતી. તો પોલીસની પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતા હોય છે તે ગુનેગારો પાસેથી જ આવતા હોય છે, જે આરોપી પકડાયો છે તે પણ કોઈ ગુના સાથે જોડાયેલો હશે, જેના કારણે આવું થાય.' 

આરોપીએ રોકડા રૂપિયા પડાવ્યા છેઃ પાટીલ
તેમણે જણાવ્યું હતું કે, 'આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ પોતે આવા કૌભાંડો ઉજાગર કરવાની વાતો કરતો હતો તે પોતે પાંજરામાં પુરાયો છે અને કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે. નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને કેટલાક દોષિતો પાસેથી પણ ખૂબ મોટી રકમ પડાવી છે. જેના વીડિયો અને પુરવા પોલીસે કબજે કર્યા છે. મને લાગે છે કે તપાસમાં એમની સાથે જોડાયેલા ઘણા લોકોના નામ સામે આવશે.' 

CR Patil's statement has come out in the Bhavnagar dummy Kand

48 કલાકમાં 4 આરોપીઓની ધરપકડ
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. છેલ્લા 48 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ કરાઇ છે. આ સાથે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની પણ ધરપકડ કરાઇ છે.

VTV Gujarati News and Beyond on Twitter: "યુવરાજસિંહ જાડેજાના 7 દિવસના  રિમાન્ડ મંજૂર, એક કરોડની રિકવરી સાથે મોબાઈલનો ડેટા પણ રિકવર કરશે પોલીસ  #dummycandidate ...

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન
જે સમગ્ર મામલે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, યુવરાજસિંહને મેં પૂછ્યું હતું કે, તમે ગઈકાલે કેટલાક રાજકીય નેતાઓ પર આક્ષેપ કર્યા છે તે મામલે કોઈ પુરાવા છે તો તેમણે સ્પષ્ટ ના કહી દીધું છે તેમજ તેમણે કહ્યું કે આ મેં કેટલાક લોકોના કહેવાથી નામ આપ્યા હતાં. વધુમાં આઈજીએ જણાવ્યું હતું કે, આજે બે અન્ય આરોપીની પણ ધરપકડ કરી છે જે ઘનશ્યા લાધવા અને બિપીન ત્રિવેદી છે જે બંન્નનો તોડકાંડમાં 10 ટકા ભાગ હતો એટલે તે બંન્ને પાસેથી 10 લાખ રૂપિયા રિકવર કરાયા છે.

'નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે'
ભાવનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નારી ચોકડીની બેઠકનું યુવરાજસિહે પણ કબૂલ્યું કહ્યું અમે ફક્ત મળ્યા હતા, ઘણા CCTV ફૂટેજ ડિલીટ પણ કરવામાં આવ્યા જેણે FSLની મદદથી રિકવર કરવામાં આવશે તેમજ CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે, તમામ આરોપીઓના લોકેશન એક્ઝેટ મેચ થઈ રહ્યાં છે. એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ છેલ્લો હપ્તો લઈ કોમ્પ્લેક્ષમાં ચડતો દેખાઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે, બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે, તમામ પુરાવા મીડિયાને આપવામાં આવશે

'શિવુભાની શોધખોળ ચાલી રહી છે'
રેન્જ IGએ જણાવ્યું હતું કે, શિવુભાની શોધખોળ ચાલી રહી છે તેમજ રાજુ નામના શખ્સની ઓળખ થઈ ચૂકી છે અને કાર્યવાહી થઈ રહીં છે તેમજ આર.કેનું આખુ નામ રમેશભાઈ કરમશી છે તેની પણ શોધખોળ ચાલી રહી છે

શું છે સમગ્ર મામલો
ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા ત્યાર બાદ  યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. જે મામલે પોલીસે કેટલાક પુરાવાના આધારે ધરપકડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ