બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 21 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. જો કે હજુ સુધી ટેસ્ટ સ્કવૉડ અંગે જાહેરાત કરવામાં આવી નથી.

ADVERTISEMENT
બીસીઆઇ દ્વારા જણાવામાં આવ્યું છે કે હાર્દિક પંડયા જ્યાં સુધી સંપૂર્ણ ફીટ થશે નહીં ત્યાં સુધી NCA માંજ રહેશે. હાર્દિક પંડયા હજુ સુધી પોતાની ઇજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી.

ADVERTISEMENT
સર્જરી બાદ ટીમ ઇંડિયામાં વાપસીને લઇને પ્રયત્ન કરી રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા હાલમાં જ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો હતો. જેના કારણે તેનો ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 અને વન ડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા નહોતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની મુકાબલો 21 ફેબ્રુઆરીના રોજ વેલિંગ્ટન અને બીજી 29 ફેબ્રુઆરીના રોજ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. હાર્દિક પંડયા ઇજાગ્રસ્તના કારણે દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇંડિઝ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણીમાં રમી શક્યો નહોતો. જો કે આશા હતી કે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ફીટ થઇ જશે, જો કે હજુ તેને સમય લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.