બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / Harassment by usurers three months after wifes suicide husband also shortens life
Kishor
Last Updated: 04:35 PM, 28 August 2022
અમદાવાદના રાણીપમાં વધુ એક પરિવાર વ્યાજના ખપ્પરમાં હોમાતા હાહાકાર મચી ગયો છે. ધન લાલચુ વ્યાજખોરએ વધુ એક પરિવારનો સુખી માળો વિખેરી દીધો છે. વ્યાજના ચુંગલમાં ફસાયેલા પરિવારમાં મહિલાએ વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળીને 3 મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પતિએ પણ જિંદગી ટૂંકાવી લીધી છે. બીજી તરફ આ દંપતીના આપઘાત કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ બે વ્યાજખોરની શોધખોળ આદરી છે.
10 લાખ ચૂકવ્યા છતાં આરોપીઑએ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરી
રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી મિનરલ વોટર ધંધો કરતા નિકુંજ પંચાલ પોતાના ઘરેમાં ગળે ફાસો ખાઈનર આપઘાત કરી લેતા અરેરાટી મચીગ્ઇ છે.વેપારી એ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક, તેનો ભાગીદાર દેવાંગ સથવારા અને અનિલ પટેલનો ઉલ્લેખ કર્યો હતો. ઘટનાની વાત કરીએ તો નિકુંજ પંચાલે ધંધાના વિકાસ અર્થે રાકેશ નાયક અને દેવાંગ સથવારા પાસેથી રૂ 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. જેના 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈના પત્નિ શ્વેતાબેન 2 જુનના રોજ આપઘાત કરી લીધો હતો. પરંતુ તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા. જેથી કંટાળીને નિકુંજ ભાઈએ પણ જીવતરનો અંત આણ્યો છે.આ ઘટનાથી એકનો એક દીકરો ગુમાવનાર માતા આઘાતમાં સરી પડી છે. આ પરિવાર વ્યાજખોરને સજા મળે તેવી માંગ કરી રહયા છે.
આરોપી 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો
મૃતક નિકુંજભાઈ શિવ શક્તિ મિનરલ વોટર નામની ડીસ્ટ્રીબ્યુશનશિપ ધરાવી મિનરલ વોટરનો વેપાર કરતા હતા. 5 વર્ષ પહેલા નિકુંજ પંચાલે મિત્ર અનુપ પટેલને ધંધા માટે રૂ 15 લાખ આપ્યા હતા. પરંતુ અનુપ પટેલે વેપારીને પૈસા પરત આપ્યા ન હતા. કોરોનાના કારણે મિનરલ વોટરલનો ધંધો મંદી પડી જતા નિકુંજ પંચાલે ઘર ખર્ચ અને ધંધા માટે ન્યુ રાણીપ ખાતે રહેતા રાકેશ નાયક પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. અને પૈસાના અવેજ પેટે વેપારીએ કોરા ચેક અને પ્રોમીસરી નોટ અને માતાની માલિકીના મકાનનો સમજુતી કરાર પણ કરી આપ્યો હતો. જે બાદ વેપારી સમયસર વ્યાજ અને મુડીની રકમ ચુકવતા હતા. વ્યાજે લીધેલી 10 લાખ રકમ અને વ્યાજ વેપારી નિકુંજ પંચાલે ચુકવી દિધા છતાં રાકેશ નાયક અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો, સાથે જ વેપારીએ આપેલ પ્રોમીસરી નોટ અને ચેક પરત ન આપી ચેકમાં મનફાવે તેવી રકમ ભરી વટાવી ચેક બાઉન્સ થતા 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. જ્યારે તેનો મિત્ર અનિલ પટેલ પણ તેને પૈસા પરત આપતો નહતો.
પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
પત્નીએ આપઘાત કરી લેતા નિકુંજભાઈ તણાવમાં રહેવા લાગ્યા હતા. અંતે તેમણે પર આપઘાત કરીને જિંદગીનો અંત લાવી દીધો.. રાણીપ પોલીસે આપઘાત કેસમાં એક આરોપી અનિલ પટેલની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.આ કેસમાં રાણીપ પોલીસે રાકેશ નાયક, દેવાંગ સથવારા અને અનિલ પટેલ વિરુદ્ધ દુષપેરના હેઠળ ગુનો નોંધીને અનિલ પટેલની ધરપકડ કરી છે જ્યારે બે વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા ની શોધખોળ શરૂ કરી છે. મૃતકની માતાએ અનુપ, રાકેશ અને દેવાંગ સામે ફરિયાદ નોંધવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime