બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવલ્લીમાં શિક્ષિકાએ ઈચ્છામૃત્યુની માગ કરી, બાળ જન્મ બાદ બિમારી થતાં સાસરિયાએ તરછોડી
વાત જાણે કે એમ છે કે અરવલ્લીમાં આવેલા મેઘરજ તાલુકાની કેશરપુરાની શિક્ષિકાએ ઈચ્છામૃત્યુંની માગ કરતાં ચકચાર મચી ગઈ છે. આ માંગ તેને એટલા માટે કરી છે કેમ કે સાસરિયાઓએ તેને તરછોડી દીધી હતી. છેલ્લા 5 વર્ષથી પિયરમાં રહેતાં શિક્ષિકા જીવનથી કંટાળી ગયા હોવાનો પણ દાવો કર્યો હતો. બિમાર હોવાથી સાસરિયાએ તરછોડી દેતાં મહિલાની સ્થિતિ ખરાબ થઈ છે. સાથે સાથે ખાતામાં જમા રૂપિયા સાસરિયાએ લઈ લીધા હોવાનો પણ પીડિતા દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

મહિલાએ રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી,રાજ્યપાલ, મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુંની માગ કરી
ADVERTISEMENT
શિક્ષિકા મહિલાએ રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી,રાજ્યપાલ, મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુંની માગ કરી હતી જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દાગીના વેચીને બિમારીની સારવાર કરાવ્યા છતાં સુધારો ન થયો હોવાનું જણાવ્યું હતું. બાળકને જન્મ આપ્યા પછી શિક્ષિકા ગંભીર બિમારીનો શિકાર થયા હતા. ત્યાર બાદથી મહિલા ગંભીર રીતે બીમાર હોવાનું જણાવમાં આવી રહ્યું છે. પરંતું મહિલા કંટાળી જતા તેને ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.
વધુ વાંચો: પોતાના જ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, અરવલ્લી ગિરિમાળા વિવાદમાં મોટો આદેશ
ADVERTISEMENT
ઈચ્છા મૃત્યુની માંગ કરતા પરિવાર શોકમાં જતો રહ્યો છે. અને પરિવારમાં પણ ચિંતા થવા લાગી છે કે એક શિક્ષિકા મહિલાએને પરિવારમાં ત્રાસ આપતો હોવાથી તેને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.