બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:01 PM, 29 December 2025
Supreme Court on Aravalli : અરવલ્લી પર્વતમાળા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી પર્વતમાળા સંબંધિત ખાણકામ મામલે સુનાવણી યોજાઈ. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ કેસ સાંભળ્યો. નોંધનીય છે કે, ભૂતપૂર્વ વન સંરક્ષણ અધિકારી આર.પી. બલવાને પણ આ મામલે અરજી દાખલ કરી છે.
ADVERTISEMENT
અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર ચિંતાઓ
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને અનેક ટેકનિકલ મુદ્દાઓ અંગે માહિતી આપવા કહ્યું છે. ખાસ કરીને ખાણકામની પર્યાવરણીય અસર, પર્વતની વ્યાખ્યા અને સંરક્ષણની ટકાઉપણું અંગે તપાસ માટે, કોર્ટે એક ઉચ્ચ-સ્તરીય નિષ્ણાત સમિતિ બનાવવાની સૂચના આપી છે. આ સમિતિ નિષ્પક્ષ રીતે તમામ પાસાઓની વ્યાપક ચકાસણી કરશે અને તેની ભલામણો સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ અમલમાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : જો અરવલ્લી ન રહી તો શું થશે? 5 બાબતોમાં સમજો અસલી ખતરો, ભારતને ભારે પડશે
ADVERTISEMENT
20 નવેમ્બરના આદેશ પર રોક
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અરવલ્લી સંબંધિત 20 નવેમ્બરના આદેશનો અમલ આગામી સુનાવણી સુધી નહીં કરવામાં આવે. આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2026 નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી યથાવત સ્થિતિ જ રહેશે.
ADVERTISEMENT
Aravalli Definition Suo Moto Case: The Supreme Court has “put in abeyance” its earlier decision (issued on November 20) to accept the Central Environment Ministry’s definition of Aravalli Hills and Aravalli Range.
— ANI (@ANI) December 29, 2025
Acceptance of the said definition by the top court in November… pic.twitter.com/JfDTRPle8J
આ પણ વાંચો : માત્ર 4 રાજ્યો જ નહીં, હિમાલય પર પણ અરવલ્લી ધર્મ સંકટનો ખતરો!
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, 20 નવેમ્બરના કેટલાક નિર્ણયો ખોટી રીતે રજૂ થયા છે અને તે પહેલા સ્પષ્ટતા જરૂરી છે. ખાસ કરીને પર્વતની વ્યાખ્યા, 500 મીટરથી વધુ અંતર, ખાણકામ પર પ્રતિબંધ કે પરવાનગી અને તેની કવાયત અંગે સ્પષ્ટતા જરૂરી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : કુલદીપ સેંગરને જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ મામલે સંપૂર્ણ તપાસ જરૂરી છે. નિષ્ણાત સમિતિ આ મામલે એક નક્કર યોજના તૈયાર કરશે, જે પર્યાવરણની હિતની દૃષ્ટિથી યોગ્ય હશે અને કોર્ટની મંજૂરી પછી જ અમલમાં આવશે. આ પ્રક્રિયામાં જાહેરની સલાહ પણ લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.