બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:53 PM, 29 December 2025
Unnao Case Kuldeep Singh Sengar : ઉન્નાવ બળાત્કાર કેસમાં દોષિત ઠેરવાયેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત પર હવે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. એટલે કે, હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા હોવા છતાં પણ કુલદીપ સેંગર હાલ જેલમાંથી બહાર નહીં આવી શકે.
ADVERTISEMENT
હાઈકોર્ટનો નિર્ણય શું હતો?
દિલ્હી હાઈકોર્ટે કુલદીપ સેંગરની આજીવન કેદની સજાને અસ્થાયી રીતે સ્થગિત કરી હતી. સેંગર છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને તેની અપીલની સુનાવણીમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. અપીલ અનેક વખત મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે આરોપીના અધિકારો પર અસર પડી રહી હોવાનું હાઈકોર્ટે માન્યું હતું. આ આધારે હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા.
ADVERTISEMENT
Supreme Court stays the Delhi High Court order noting that Sengar is inside the jail for another case.
— ANI (@ANI) December 29, 2025
Supreme Court stays the operation of the High Court order and Sengar shall not be released from jail. https://t.co/lGTB6BpQbb
CBI કેમ સુપ્રીમ કોર્ટ ગઈ?
ADVERTISEMENT
હાઈકોર્ટના આ નિર્ણય સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. CBIનું કહેવું હતું કે, આ કેસ અત્યંત ગંભીર છે કારણ કે પીડિતા સગીરા હતી અને ઘટના સમયે તેની ઉંમર 16 વર્ષથી ઓછી હતી. આવી પરિસ્થિતિમાં સજા સ્થગિત કરવી યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે જામીન મળ્યા હોવા છતાં પણ કુલદીપ સેંગરને હાલ જેલમાંથી મુક્ત કરી શકાય નહીં. સાથે જ, સેંગરને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
સરકારની દલીલ
સીબીઆઈ તરફથી દલીલ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ કેસમાં કડક સજાની જરૂર છે. પીડિતા માત્ર 15 વર્ષ અને 10 મહિનાની હતી. તેમણે કહ્યું કે બળાત્કારનો ગુનો એક જાહેર સેવક દ્વારા કરવામાં આવ્યો હતો, જે ગુનાને વધુ ગંભીર બનાવે છે. IPC કલમ 376 અને પોક્સો કાયદા હેઠળ આ પ્રકારના ગુનામાં લાંબી અને કઠોર સજા નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT

અન્ય કેસ પણ મહત્વનો
ADVERTISEMENT
આ વાત પણ નોંધપાત્ર છે કે કુલદીપ સેંગર પીડિતાના પિતાના કસ્ટોડિયલ મૃત્યુના એક અલગ કેસમાં પણ દોષિત છે અને તે કેસમાં તેને 10 વર્ષની સજા થઈ ચૂકી છે. આ કારણે પણ તે હાલ જેલમાં છે.
પીડિતાનો પરિવાર નારાજ
હાઈકોર્ટના નિર્ણય બાદ પીડિતા અને તેના પરિવારજનોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. પરિવારનું માનવું છે કે આવા ગંભીર ગુનામાં દોષિત વ્યક્તિને કોઈ પણ પ્રકારની રાહત મળવી જોઈએ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.