બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉમરેઠ પેટા ચૂંટણી : 13 રાઉન્ડ પછી ભાજપ 20818 મતથી આગળ, કોંગ્રેસના ભૃગુરાજ સિંહ ચૌહાણને 31542 મત મળ્યા
Last Updated: 11:37 AM, 4 May 2026
Gujarat Bypoll Umreth Result: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાયા બાદ હવે આજે 4 મે ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે 4 મે ના રોજ વલ્લભવિદ્યાનગર કાતે બીજેવીએમ કોલેજ ખાતે સવાર 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. તેમજ મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાલ 14 રાઉન્ડની મત ગણતરી પૂરી થઈ ગઈ છે.
ADVERTISEMENT
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના 14મા રાઉન્ડના પરિણામ મુજબ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર 54,638 મત સાથે મજબૂત લીડ પર છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભૃગુરાજ સિંહ ચૌહાણને 35,116 મત મળ્યા છે. આ મુજબ ભાજપે 19,522 મતની નોંધપાત્ર લીડ મેળવી છે, જેનાથી ચૂંટણીમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની રહી હોવાનું સ્પષ્ટ થાય છે.
ADVERTISEMENT
આણંદના ઉમરેઠમાં ભાજપ આગળ#Anand #Umreth #BJP #ElectionUpdate #IndiaVotes #Politics #vtvdigital pic.twitter.com/gVemsBbR1T
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 4, 2026
ADVERTISEMENT
ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વિગત આપતા જણાવ્યું હતું કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન તા. 23 એપ્રિલના રોજ યોજાયું હતું. વિધાનસભાના 306 મતદાન મથક પર કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી તા. 4 મે સોમવારના રોજ સવારે 8 કલાકે બીજેવીએમ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાઇ રહી છે.
ADVERTISEMENT
સૌ પ્રથમ મતગણતરી માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતગણતરીની શરૂ થઈ હતી. જેમાં કુલ 206 પોસ્ટલ બેલેટ અને 35 સર્વિસ વોટર્સ મળી કુલ 241 પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. જે બાદ ઈવીએમમાં થયેલ મતદાનની મતગણતરી 14 ટેબલો પર કરવામાં આવશે. મતગણતરી પૂર્ણ થયા બાદ પાંચ મતદાન મથકોની વિવિવેટની સ્લીપની ગણતરી કરવામાં આવશે. મતગણતરી દરમ્યાન 14 કાઉન્ટિંગ સુપરવાઈઝર, 14 કાઉન્ટિંગ મદદનીશ અને 14 માઈક્રો સુપરવાઈઝર સહિત અંદાજે 700 જેટલા અધિકારી કર્મચારીઓ મતગણતરીની કામગીરી માટે નિમણૂંક કરવામાં આવી છે.
ADVERTISEMENT
જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મતગણતરી સ્થળની આસપાસ 100 મીટરના ઘેરાવામાં વાહનોને લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીત. તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ લાવી શકાસે નહી. તેમજ જો કોઈ વ્યક્તિ મોબાઈલ લઈને આવે તો મોબાઈલ જમા કરાવવા માટે સુવિધા કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યાં તેઓએ મોબાઈલ જમા કરાવવાનો રહેશે.
ADVERTISEMENT
આ બેઠક પર ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા હતા. જેથી આ ચૂંટણી સીધી ટક્કરની બની ગઈ હતી. ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને હવે 23 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાયું હતું.

ભાજપ હર્ષદ પરમારના સ્થાનિક પ્રભાવ અને તેમના પિતાની રાજકીય વારસાને આધાર બનાવી જીતની આશા રાખી રહી છે. જ્યારે કોંગ્રેસ ભૃગુરાજસિંહ ચૌહાણના અનુભવો અને સંગઠનશક્તિ પર વિશ્વાસ મૂકી રહી છે. ઉમરેઠ બેઠક પર લગભગ 2.4 લાખથી વધુ મતદારો છે જે આ ચૂંટણીને વધુ મહત્વની બનાવે છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પેટાચૂંટણી માત્ર એક બેઠક પૂરતી સીમિત નથી પરંતુ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની લડાઈ બની રહી છે. પરિણામ 4 મેના રોજ જાહેર થશે જે રાજ્યના રાજકારણમાં આગામી દિશા નક્કી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.