બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, ધરપકડ પર રોક
Last Updated: 08:40 AM, 27 February 2026
Gajera Brothers : સુરતના જાણીતા ગજેરા બંધુઓને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારે ચાલી રહેલા ફોજદારી કેસમાં સર્વોચ્ચ અદાલત તરફથી મહત્વપૂર્ણ રાહત મેળવી છે. સુપ્રીમ કોર્ટે ગજેરા બંધુઓને બે અઠવાડિયાનો સમય આપ્યો છે, જેથી તેઓ FIR રદ કરવાની અરજી કરી શકે. આ સમયગાળા દરમિયાન તેમની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
‘શાંતિ રેસિડેન્સી પ્રા. લિ.’ સાથે જોડાયેલા અશોક ગજેરા, વસંત ગજેરા, ચુની ગજેરા અને રાકેશ ગજેરા સામે છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આક્ષેપો નોંધાયા હતા. ફરિયાદી તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મોટી રકમની ગેરરીતિ થઈ છે. આ મામલે પહેલાં ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે કરોડો રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગની કલમો હેઠળ FIR દાખલ કરી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચો : આજે બપોરે 1:30 વાગ્યે વિધાનસભાની બેઠક, પ્રાકૃતિક ખેતી પર વિશેષ પરિસંવાદ
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં પડકાર
હાઈકોર્ટના આદેશ બાદ ગજેરા બંધુઓએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આરોપી પક્ષે દલીલ કરી કે નીચલી અદાલતે કેસના કેટલાક મહત્વના મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપ્યું નથી. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી અને કહ્યું કે, આરોપીઓ આગામી બે અઠવાડિયામાં હાઈકોર્ટમાં ‘ક્વોશિંગ પિટિશન’ (FIR રદ કરવાની અરજી) દાખલ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કે ધરપકડ નહીં કરી શકે. હવે ગજેરા બંધુઓ નિર્ધારિત સમયમર્યાદામાં હાઈકોર્ટમાં પોતાની અરજી કરશે. ત્યારબાદ હાઈકોર્ટમાં ફરી સુનાવણી થશે, જેમાં પોલીસ અને ફરિયાદી પક્ષ પોતપોતાની દલીલો રજૂ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.