બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'રાજકીય માણસોને સમાજના...', ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રનું નિવેદન ચર્ચામાં

તર્ક વિતર્ક / 'રાજકીય માણસોને સમાજના...', ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રનું નિવેદન ચર્ચામાં

Jay Bhatt

Last Updated: 03:27 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલે રાજનેતાઓને લઈને મોટો ધડાકો કર્યો છે.

Gujarat News: દેશની અખંડ એકતાના પ્રતીક તેમજ જેમને લોંખડી પુરુષનું બિરુદ મળ્યું છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અનુલક્ષીને કર્મભૂમિ બારડોલીથી લઈ ધર્મસ્થાન સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે (17 સપ્ટેમ્બર 2025) આ યાત્રા રાજકોટ પહોંચી હતી, જ્યાં નરેશ પટેલના દીકરાએ એવું નિવેદન આપ્યું કે ચર્ચાનો વિષય બન્યું છે.

રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

રાજકોટમાં સરદાર સન્માન યાત્રા બુધવારે સાંજના સમયે પહોંચી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી શરુ થઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને બહુમાળી ભવન ખાતે પહોંચી હતી. જ્યાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપના સાંસદ અને ધારાસભ્યો તેમજ પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શિવરાજ પટેલે રાજકીય નેતાઓને લઈને આપ્યું નિવેદન

આ દરમિયાન ખોડલધાન ચેરમેન નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલને આ યાત્રામાં રાજકીય માણસો જોડાયા છે તેવો સવાલ પુછતા તેમણે મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે ચર્ચાનો વિષય બન્યો છે. શિવરાજ પટેલે સમાજના કાર્યક્રમમાં રાજકીય નેતાઓને લઈને વાત કરી હતી, જેને લઈને અનેક તર્ક વિતર્ક શરુ થયા છે.

Vtv App Promotion 2

શિવરાજ પટેલે શું કહ્યું?

શિવરાજ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે, 'આજે સરદાર સન્માન યાત્રા રાજકોટ પહોંચી છે તેને અમે આવકારીએ છીએ. આખો સમાજ સરદાર પટેલના આદર્શો પ્રમાણે ચાલે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. રાજકીય માણસોનો પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે. તેઓ પોતાની રીતે સપોર્ટ લેતા હોય છે. રાજકીય રીતે કોઈ ઇન્વોલ્વ થતું હોય તો તેનો અર્થ છે. તેને અને સમાજને આપણે ભેગા ન કરીએ તો સારી વસ્તુ છે.'

વધુ વાંચો : કિંજલ દવે માટે ફરી માઠા સમાચાર, હાઈકોર્ટનો 7 ડિસેમ્બર સુધી ઓર્ડર પર સ્ટે

શિવરાજનો ઈશારો શું?

  • પાટીદાર નેતાઓની સમાજમાં વધતી દખલગીરી
  • રાજકીય હિત પાર પાડવા સમાજમાં ભાગલા પડે
  • રાજકારણ માટે સમાજનો વધતો ઉપયોગ ઘટાડવો
  • રાજકારણ અને સમાજને ન જોડવા

નોંધનીય છે કે, સરદાર સન્માન યાત્રા 2025 નામની આ યાત્રાનો પ્રારંભ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ બારડોલીના સ્વરાજ આશ્રમથી કરવામાં આવી છે જે ગુજરાતમાં 12 દિવસમાં 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામોમાં ફરીને 22 સપ્ટેમ્બરના રોજ સોમનાથ પહોંચશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Shivraj Patel Rajkot
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ